Lata Ramgobin: જાણીતા માનવાધિકાર કાર્યકર્તા ઈલા ગાંધી અને સ્વર્ગસ્થ મેવા રામગોબિનની પુત્રી છે લતા રામગોબિન; મહાત્મા ગાંધીની પ્રપૌત્રીને એક વાર મળી ચુક્યા છે જામીન
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની ૫૬ વર્ષીય પ્રપૌત્રી આશિષ લતા રામગોબિન (Ashish Lata Ramgobin)ને છેતરપિંડી અને બનાવટી બનાવવાના આરોપમાં સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. દક્ષિણ આફ્રિકા (South Africa)ના ડર્બન (Durban)ની એક કોર્ટે તેમને ૬.૨ મિલિયન રેન્ડ એટલે કે લગભગ ૩.૨૨ કરોડ રુપિયાની છેતરપિંડી માટે જેલની સજા ફટકારી છે.
આશિષ લતા રામગોબિન (Lata Ramgobin) પર એક ઉદ્યોગપતિ એસઆર મહારાજ સાથે છેતરપિંડી કરવાનો આરોપ હતો, તેના માટે તેને દોઝી ઠેરવવામાં આવી છે. લતા રામગોબિને મહારાજને કહ્યું કે, તેણે દક્ષિણ આફ્રિકાના એક હોસ્પિટલ જૂથ માટે ભારત (India)માંથી શણ (linen)ના ત્રણ કન્ટેનર આયાત કર્યા હતા. તેણે દાવો કર્યો કે તેમને કસ્ટમ્સ અને આયાત ડ્યુટી ચૂકવવા માટે પૈસાની જરૂર છે અને નફામાં ભાગ આપવાનું વચન આપ્યું હતું. તેના પર વિશ્વાસ કરીને, મહારાજે તેને પૈસા આપ્યા. જોકે, આ શિપમેન્ટ ક્યારેય અસ્તિત્વમાં નહોતું. ટ્રાયલ દરમિયાન, એવું બહાર આવ્યું કે રામગોબિને પોતાની વાર્તાને વાસ્તવિક બતાવવા માટે નકલી દસ્તાવેજો અને ઇન્વોઇસ બનાવ્યા હતા. તેના પર રોકાણકારોને સમજાવવા માટે નકલી કાગળોનો ઉપયોગ કરવાનો આરોપ હતો. લતા રામગોબિન વર્ષ ૨૦૧૫માં મહારાજને મળી હતી. મહારાજ એક કંપની ચલાવે છે જે કપડાં, શણ અને જૂતા વેચે છે, અને નફાના હિસ્સાના બદલામાં અન્ય વ્યવસાયોને પૈસા પણ આપે છે.
ADVERTISEMENT
લતા રામગોબિન જાણીતા માનવાધિકાર કાર્યકર્તા ઈલા ગાંધી (Ela Gandhi) અને સ્વર્ગસ્થ મેવા રામગોબિન (Mewa Ramgobin)ની પુત્રી છે. જ્યારે લતા પર પહેલી વાર આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારે તેને ૫૦,૦૦૦ રેન્ડ એટલે કે લગભગ અત્યારના ૨.૩૯ લાખ રુપિયાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમની સજા અથવા જેલની સજા સામે અપીલ કરવાની પરવાનગી પણ નકારી કાઢી છે.
દક્ષિણ આફ્રિકાના નેશનલ પ્રોસિક્યુટિંગ ઓથોરિટી (National Prosecuting Authority - NPA)ના પ્રવક્તા નતાશા કારાએ ખુલાસો કર્યો હતો કે, આશિષ લતા રામગોબિને દાવો કર્યો હતો કે તેમને આયાતી માલ માટે કસ્ટમ ચાર્જ ચૂકવવા માટે ૬.૨ મિલિયન એટલે કે ૩.૨૨ કરોડ રુપિયાની જરૂર છે. તેમણે કહ્યું કે, તેઓ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને બંદર પર કન્ટેનર છોડવા માટે તાત્કાલિક પૈસાની જરૂર છે. ઉદ્યોગપતિ એસ.આર. મહારાજને સમજાવવા માટે, તેણીએ તેમને નકલી ખરીદી ઓર્ડર, હોસ્પિટલ ગ્રુપ નેટકેર તરફથી નકલી ઇન્વોઇસ, ડિલિવરી નોટ અને નકલી બેંક પુષ્ટિ સહિત દસ્તાવેજો બતાવ્યા જેમાં નેટકેર તરફથી ચુકવણી થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. લતા રામહોબિનની કૌટુંબિક પૃષ્ઠભૂમિ અને દસ્તાવેજોને કારણે તેણી પર વિશ્વાસ કરીને, મહારાજે તેણીને પૈસા આપ્યા. બાદમાં, જ્યારે તેમને ખબર પડી કે દસ્તાવેજો બનાવટી છે અને શિપમેન્ટ નકલી છે, ત્યારે મહારાજે પોલીસ ફરિયાદ નોંધાવી.
આશિષ લતા રામગોબિન ઇન્ટરનેશનલ સેન્ટર ફોર નોન-વાયોલન્સ ખાતે પાર્ટિસિપેટિવ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ (Participative Development Initiative at the International Centre for Non-Violence)ના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતી. તેણીએ પોતાને સામાજિક, પર્યાવરણીય અને રાજકીય કારણો પર ધ્યાન કેન્દ્રિત કરતી કાર્યકર્તા ગણાવી.
આશિષ લતા રામગોબિનના પરિવારમાં ઘણા જાણીતા માનવાધિકાર કાર્યકરોનો સમાવેશ થાય છે. તેમની માતા, ઇલા ગાંધીને ભારત અને દક્ષિણ આફ્રિકા બંને તરફથી રાષ્ટ્રીય સન્માન મળ્યા છે. કીર્તિ મેનન, સ્વર્ગસ્થ સતીશ ધુપેલિયા અને ઉમા ધુપેલિયા-મેસ્ત્રી જેવા અન્ય સંબંધીઓ પણ તેમની સક્રિયતા માટે જાણીતા છે. તેમની પૃષ્ઠભૂમિ હોવા છતાં, રામગોબિનને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, અને કોર્ટે તેમને ચુકાદા સામે અપીલ કરવાની પરવાનગી નકારી કાઢી છે.

