Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈમાં લાગેલી ભીષણ આગમાં ૨૫-૩૦ ગોડાઉન બળીને ખાખ

નવી મુંબઈમાં લાગેલી ભીષણ આગમાં ૨૫-૩૦ ગોડાઉન બળીને ખાખ

Published : 20 April, 2025 08:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આગ લાગ્યાની જાણ નવી મુંબઈ ફાયર-બ્રિગેડને કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી મુંબઈના દહિસરમાં આવેલા ઠાકુરપાડામાં આવેલા ગોડાઉનમાં શુક્રવાર મધરાત બાદ ૧.૩૦ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. એ ગોડાઉનોમાં ડામર, પ્લા​સ્ટિક-ડ્રમ, કૉમ્પ્રેસર અને બીજું જલદીથી સળગી ઊઠે એવું મટીરિયલ સંઘરવામાં આવ્યું હતું, જેના કારણે ટૂંક સમયમાં જ આગનો વ્યાપ વધી ગયો હતો. આગનો વ્યાપ વધતાં ૨૫-૩૦ જેટલાં ગોડાઉન બળીને ખાખ થઈ ગયાં હતાં જેમાં લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો.


આગ લાગ્યાની જાણ નવી મુંબઈ ફાયર-બ્રિગેડને કરવામાં આવી હતી. આગનો ફેલાવો જોતાં એને ઠારવા વધારાનાં ફાયર-એન્જિન થાણે, કોપર ખૈરણે, બેલાપુર, કળંબોલી, નેરુળ અને વાશીથી બોલાવવામાં આવ્યાં હતાં. ૯ કલાકની ભારે જહેમત બાદ સવારે ૧૦.૩૦ વાગ્યે આગ ઓલવવામાં સફળતા મળી હતી. એ પછી પણ આગ ફરી ન ભડકે એ માટે કૂલિંગ-ઑપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. સદ્ભાગ્યે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પણ લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થ​ઈ ગયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2025 08:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK