Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીમાં એસ. વી. રોડ પહોળો કરવાની વચ્ચે આવતી ૩૦ દુકાનો પર BMCએ બુલડોઝર ફેરવ્યું

કાંદિવલીમાં એસ. વી. રોડ પહોળો કરવાની વચ્ચે આવતી ૩૦ દુકાનો પર BMCએ બુલડોઝર ફેરવ્યું

Published : 19 February, 2025 12:17 PM | Modified : 19 February, 2025 12:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાંદિવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર પોઇસર ડેપો પહેલાં આવતી મસ્જિદ પાસે રોડ-વાઇડનિંગની વચ્ચે આવતી ૩૦ દુકાનો પર બુલડોઝર ફેરવ્યું હતું

તસવીર :નિમેશ દવે

તસવીર :નિમેશ દવે


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓએ ગઈ કાલે કાંદિવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર પોઇસર ડેપો પહેલાં આવતી મસ્જિદ પાસે રોડ-વાઇડનિંગની વચ્ચે આવતી ૩૦ દુકાનો પર બુલડોઝર ફેરવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી BMC દ્વારા આ દુકાનદારોને નોટિસ આપવામાં આવતી હતી. પચાસ વર્ષથી પણ વધારે સમયથી આ દુકાનો ત્યાં હોવાથી તેમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવી હોવાનું અથવા તો વળતર ચૂકવવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ દુકાનોને લીધે એસ. વી. રોડ સાંકડો થઈ જતો હતો અને ઘણી વાર ટ્રૅફિક પણ જૅમ થઈ જતો હતો. ગઈ કાલે પણ તોડકામને લીધે આખો દિવસ ટ્રૅફિક જૅમ રહ્યો હતો. આ પહેલાં ૨૦૨૩માં મલાડ-વેસ્ટમાં એસ. વી. રોડના વાઇડનિંગમાં આડે આવતી દુકાનો અને ઘરોને તોડી પાડવામાં આવ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2025 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK