Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Valvada Ram Mandir: વાપીના વલવાડામાં બન્યું ભવ્યાતિભવ્ય રામ મંદિર, પાંચ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થશે

Valvada Ram Mandir: વાપીના વલવાડામાં બન્યું ભવ્યાતિભવ્ય રામ મંદિર, પાંચ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થશે

Published : 20 February, 2025 10:44 AM | Modified : 21 February, 2025 06:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Valvada Ram Mandir: 5 હજાર સ્કવેર ફૂટમાં પથરાયેલ આ મંદિરની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ પાંચ દિવસ ચાલવાનો છે, 80થી વધુ સંતો પધારવાના છે.

કાર્યક્રમની આમંત્રણપત્રિકા સંતોના ચરણે મૂકવામાં આવી હતી.

કાર્યક્રમની આમંત્રણપત્રિકા સંતોના ચરણે મૂકવામાં આવી હતી.


Valvada Ram Mandir: વાપી પાસે આવેલા વલવાડા રેલ્વે અંડરબ્રિજ પાસે ભવ્ય શ્રીરામ મંદિર આકાર પામ્યું છે. 5 હજાર સ્કવેર ફૂટમાં પથરાયેલ આ મંદિરની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ પાંચ દિવસ ચાલવાનો છે.  જેમાં હરિદ્વારના આચાર્ય વેદ પ્રકાશ કૌશિક અને ભૂદેવોની ઉપસ્થિતિ રહેશે. 80થી વધુ સંતો પધારવાના છે. આ સમગ્ર કાર્યક્રમ સંત શ્રી ઓધવરામજી મહારાજ, સંત શ્રી વાલરામજી મહારાજની પ્રેરણાથી અને કુળદેવી હિંગળાજ માતાજીની કૃપાથી કરાયો છે. 21-2-2025ના રોજ કળશ યાત્રાથી તેનો પ્રારંભ થશે તો ૨૫-૨-૨૦૨૫ના રોજ પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ થશે.


પાંચ દિવસના કાર્યક્રમોની યાદી અને વિગતવાર માહિતી અત્રે પ્રસ્તુત છે. 



૧. પ્રથમ દિવસે તા. ૨૧-૨-૨૦૨૫ શુક્રવારના સવારે ૮ વાગ્યે પંચાંગ પૂજન થશે. અને ત્યારબાદ કળશયાત્રા (Valvada Ram Mandir) યોજાશે. સાંજે ૪:૦૦ વાગ્યે જલાધિવાસ, આવાહિત દેવ પ્રતિ પ્રતિષ્ઠા, અગ્નિ પ્રતિષ્ઠા અને હવન, આરતી થશે.  ત્યારબાદ રાત્રે ૯:૦૦ વાગ્યાથી શ્રી રામ મહિમા રજૂ કરશે રૂયિ ભાનુશાલી અને ટીમ. 


૨. દ્વિતીય દિવસ તા. ૨૨-૨-૨૦૨૫ શનિવારના સવારે ૮ વાગ્યે પંચાંગપૂજન, દેવતા અન્નાધીવાસ, શ્રીરામ સહર્ષનામાવલી, હવન આહુતી થશે. સાંજે ૪:૦૦ વાગ્યે શ્રી હનુમાન સહર્ષનામાવલી હવન આહુતિ, આરતી અને પુષ્પાંજલિની વિધિ થશે. રાત્રે ૯.૦૦ વાગ્યાથી તન્વી  ગઢવી, રમેશ બારોટ, જિગર દામા, સાગર ગજરા ભવ્ય રાસ-ગરબાની રમઝટ બોલાવશે. 

૩. તૃતીય દિવસ તા. ૨૩-૨-૨૦૨૫ રવિવારે (Valvada Ram Mandir) સવારના ૮ વાગ્યે પંચાંગ પૂજન, દેવતા ફલાધિવાસ, શ્રીરામ સહર્ષનામાવલી હવન  થશે. સાંજે ૪:૦૦ વાગ્યે શ્રી હનુમાન સહર્ષનામાવલી હવન, આરતી પુષ્પાંજલિનો કાર્યક્રમ થશે. રાત્રે ૯:૦૦ વાગ્યાથી ૧૨:૦૦ વાગ્યા સુધી વિશ્વ પ્રસિદ્ધ શ્રી રસરાજજી મહારાજ દ્વારા સુંદરકાંડનો લાભ મળવાનો છે.


૪. તા. ૨૪-૨-૨૦૨૫ સોમવારના ચોથા દિવસે સવારના ૮ વાગ્યે પંચાંગ પૂજન, દેવતા ધૃતાધિવાસ, શ્રીરામ સહર્ષનામાવલી હવન થશે. ત્યારબાદ સાંજે ૪:૦૦ વાગ્યે શ્રી હનુમાન સહર્ષનામાવલી હવન, દેવતા શૈય્યાધિવાસ, પુષ્પાંજલિ અને રાત્રે ૯:૦૦ વાગ્યાથી `આજ કી શામ પ્રભુ શ્રી રામ કે નામ` હેઠળ  દિલ્હીનું સાધો બેન્ડ ભક્તિસભર રજૂઆત કરશે.

૫. Valvada Ram Mandir: પાંચમા અને અંતિમ દિવસે સવારના ૮ વાગ્યે પંચાંગ પૂજન, દેવતા ઔષધી ગંગાજળથી અભિષેક અર્ચન, અન્જન શલાકા, પ્રાણ પ્રતિષ્ઠા, દેવતા ભોગ-પુર્ણાહુતિ અને મહાઆરતીથશે. ત્યારબાદ બપોરના ૧૨:૩૯ વાગ્યે વિજય મુહૂર્ત, પ્રાણ પ્રતિષ્ઠા, અનંતશ્રી વિભૂષિત પશ્ચિમનાય દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના કરકમલો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા થશે.  બપોરના ૧ વાગ્યે મહાપ્રસાદનું આયોજન છે. બપોરના ૨:૦૦ વાગ્યે સંતોના આર્શીવચન  બાદ રાત્રે ૯:૦૦ વાગ્યાથી સંતવાણી ભવ્ય લોક ડાયરો થશે. જેમાં ભાગ લેશે દેવરાજ ગઢવી (નાનો ડેરો), નારાયણ ઠાકર (સુર સાધક) , નિલેશ ગઢવી (સુર સાધક), બિંદુ રામાનુજ (સંતવાણી આરાધક) તેમ જ પિયુષ મહારાજ (હાસ્ય કલાકાર). 

Valvada Ram Mandir: શ્રી કચ્છી ભાનુશાલી વાપી મિત્ર મંડળ, શ્રી નલિયા ભાનુશાલી મિત્રમંડળ, કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, સમસ્ત કચ્છી ભાનુશાલી સમાજના નેજા હેઠળ આ આયોજન પાર પડશે. સમગ્ર શ્રીરામ મંદિરનું કોતરકામ વાપીના શિલ્પકાર નિતેશભાઈ સોમપુરાના હસ્તે કરવામાં આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

21 February, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK