Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સંગમનું પાણી નહાવા માટે જ નહીં, પીવા માટે પણ યોગ્ય છે : યોગી

સંગમનું પાણી નહાવા માટે જ નહીં, પીવા માટે પણ યોગ્ય છે : યોગી

Published : 20 February, 2025 10:41 AM | Modified : 21 February, 2025 06:59 AM | IST | Prayagraj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહાકુંભમાં સંગમનું પાણી નહાવા યોગ્ય નથી, પાણીમાં ફીકલ કૉલિફૉર્મનું પ્રમાણ ગુણવત્તા અનુસાર નથી.

યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથ


ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહાકુંભમાં સંગમના પાણીની ગુણવત્તા પર ઊઠી રહેલા સવાલ વિશે જવાબ આપ્યો છે. તેમણે વિધાનસભા સત્ર દરમ્યાન સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ‘સંગમનું પાણી ન માત્ર નહાવા માટે, પરંતુ આચમન (પીવા) માટે પણ યોગ્ય છે. આ મહાકુંભને બદનામ કરવાના કાવતરાનો એક હિસ્સો છે.’


સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સામે રિપોર્ટ રજૂ કરતાં દાવો કરવામાં આવ્યો હતો કે મહાકુંભમાં સંગમનું પાણી નહાવા યોગ્ય નથી, પાણીમાં ફીકલ કૉલિફૉર્મનું પ્રમાણ ગુણવત્તા અનુસાર નથી.



ફીકલ કૉલિફૉર્મ બૅક્ટેરિયા ગરમ લોહીના પ્રાણીઓ અને મનુષ્યોનાં આંતરડાંમાં મળી આવે છે. એને સામાન્ય રીતે પાણીમાં સંભવિત પ્રદૂષણના સંકેત તરીકે માનવામાં આવે છે, કારણ કે એની હાજરીથી ખબર પડે છે કે પાણીમાં હાનિકારક રોગાણુ પણ હોઈ શકે છે, જેમ કે વાઇરસ, પરજીવી અથવા અન્ય કોઈ બૅક્ટેરિયા જે જાનવર અને મનુષ્યનાં આંતરડાથી નીકળનારા મળની સાથે ઉત્પન્ન થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2025 06:59 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK