Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ ઍરપોર્ટના બન્ને રનવે ૮ મેએ ૬ કલાક બંધ રહેશે

મુંબઈ ઍરપોર્ટના બન્ને રનવે ૮ મેએ ૬ કલાક બંધ રહેશે

Published : 20 April, 2025 08:29 AM | Modified : 21 April, 2025 06:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સમય દરમ્યાન ફ્લાઇટ ઑપરેશન, ટેક-ઑફ અને લૅન્ડિંગ બંધ રહેશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મૉન્સૂન પહેલાં ઍરપોર્ટના બન્ને રનવેના મેઇન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી ૮ મેએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના બન્ને રનવે સવારના ૧૧ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી બંધ રહેશે એમ મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડ (MIAL)એ જણાવ્યું છે.


આ સમય દરમ્યાન ફ્લાઇટ ઑપરેશન, ટેક-ઑફ અને લૅન્ડિંગ બંધ રહેશે. MIAL દ્વારા દરેક ઍરલાઇન્સને આ વિશે નિયમ મુજબ ૬ મહિના પહેલાં જ જણાવી દેવાયું છે જેથી તેઓ તેમની ફ્લાઇટનું સમયપત્રક એ પ્રમાણે નક્કી કરી શકે.



MIALએ આ બાબતે કહ્યું હતું કે ‘મૉન્સૂનમાં વિમાનને ટેક-ઑફ અને લૅન્ડિંગમાં કોઈ સમસ્યા ન રહે એ માટે આ મેઇન્ટેનન્સ કરવું જરૂરી છે. એક્સપર્ટ દ્વારા એ વખતે રનવેનું ચેકિંગ કરીને જે પણ જરૂરી જણાશે એ ઉપાયો યોજાશે. એની સાથે જ રનવે પર પાણી ન ભરાય એ માટેની પણ તકેદારી લેવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK