જળગાવ, પુણે, નાશિક, સોલાપુર, સાંગલી, રાયગડ જેવા અનેક જિલ્લાઓમાં માવઠાની સ્થિતિ યથાવત્ રહેશે
પ્રતીકાત્મક તસવીર
ભરઉનાળામાં ફરી એક વાર મુંબઈમાં આજે અને આવતી કાલે ગાજવીજ સાથે હળવો વરસાદ પડે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે. આજે મુંબઈનું આકાશ વાદળછાયું રહેશે એટલે તડકાથી બચી શકાશે, પણ બફારો તો સહન કરવો જ પડશે. હવામાન ખાતાના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ‘૨૩ એપ્રિલની આસપાસથી સપ્તાહના અંત સુધીમાં તાપમાન ફરી વધવાની શક્યતા છે. જળગાવ, પુણે, નાશિક, સોલાપુર, સાંગલી, રાયગડ જેવા અનેક જિલ્લાઓમાં માવઠાની સ્થિતિ યથાવત્ રહેશે.’
