અપાત્ર ઠેરવવામાં આવેલા આ નેતાઓ જોકે ઓછા જાણીતા નાના પક્ષના અને અપક્ષ છે
પ્રતીકાત્મક તસવીર
લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે મહારાષ્ટ્રના ચૂંટણીપંચે ૧૮ નેતાઓને લોકસભાની ચૂંટણી લડવા માટે અપાત્ર ઠેરવ્યા છે. ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી લડનારા આ નેતાઓએ ખર્ચની વિગતો ચૂંટણીપંચમાં રજૂ ન કરવાને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અપાત્ર ઠેરવવામાં આવેલા આ નેતાઓ જોકે ઓછા જાણીતા નાના પક્ષના અને અપક્ષ છે. તેઓ ૨૦૧૯માં મુંબઈ સહિત રાજ્યની વિવિધ બેઠકો પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.