Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિઠ્ઠલ... વિઠ્ઠલ...ના નાદે પંઢરપુરના પદયાત્રીઓ સાથે ડૉક્ટરો પણ ઝૂમી ઊઠ્યા અને સાથે નીકળ્યા

વિઠ્ઠલ... વિઠ્ઠલ...ના નાદે પંઢરપુરના પદયાત્રીઓ સાથે ડૉક્ટરો પણ ઝૂમી ઊઠ્યા અને સાથે નીકળ્યા

Published : 16 June, 2025 10:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અષાઢી વારી માટે પંઢરપુર જતા પદયાત્રીઓની સેવા માટે દાદરના માઉલી ચૅરિટેબલ ઍન્ડ મેડિકલ ટ્રસ્ટ ઑફ મુંબઈની ટીમ પણ આ યાત્રામાં જોડાઈ છે.

તસવીરો : આશિષ રાજે

તસવીરો : આશિષ રાજે


અષાઢી વારી માટે પંઢરપુર જતા પદયાત્રીઓની સેવા માટે દાદરના માઉલી ચૅરિટેબલ ઍન્ડ મેડિકલ ટ્રસ્ટ ઑફ મુંબઈની ટીમ પણ આ યાત્રામાં જોડાઈ છે. રવિવારે દાદરમાં ટ્રસ્ટ દ્વારા શ્રી સ્વામી સમર્થના પાદુકારથનું પ્રસ્થાન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિઠોબાના કીર્તનમાં ભાવવિભોર બનીને નિષ્ણાત ડૉક્ટરો પણ ‘વિઠ્ઠલ... વિઠ્ઠલ...’ના નાદે ઝૂમતા દેખાયા હતા. ૮ ઍમ્બ્યુલન્સ સાથે ૪૫૦થી વધુ ડૉક્ટરો આળંદીથી પંઢરપુર જતા પદયાત્રીઓની સેવામાં કાર્યરત રહેશે. છેલ્લાં ૩૩ વર્ષથી માઉલી ટ્રસ્ટ દ્વારા આ યાત્રામાં પદયાત્રીઓ ઉપરાંત રસ્તામાં આવતાં આદિવાસી ગામોના લોકો માટે મોબાઇલ ડિસ્પેન્સરી, ફ્રી મેડિકલ કૅમ્પ, બ્રેસ્ટકૅન્સર, એઇડ્સ, ચાઇલ્ડકૅર માટેના અવેરનેસ કૅમ્પ વગેરેનું આયોજન કરવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2025 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK