Mumbai Bus Fire: રવિવારે મુંબઈના કુર્લા વિસ્તારમાં આવેલા બેસ્ટ ડેપોમાં એક ખાલી ઇલેક્ટ્રિક ડબલ-ડેકર બસમાં આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બસ સર્વિસિંગ માટે પાર્ક કરવામાં આવી હતી અને ઘટના સમયે તેમાં કોઈ માણસો નહોતા.
કુર્લા BEST ડેપોમાં પાર્ક કરેલી ઇલેક્ટ્રિક ડબલ-ડેકર બસમાં આગ
રવિવારે મુંબઈના કુર્લા વિસ્તારમાં આવેલા બેસ્ટ ડેપોમાં એક ખાલી ઇલેક્ટ્રિક ડબલ-ડેકર બસમાં આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બસ સર્વિસિંગ માટે પાર્ક કરવામાં આવી હતી અને ઘટના સમયે તેમાં કોઈ માણસો નહોતા.
મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, કનકિયા બિલ્ડિંગ નજીક આવેલા ડેપોમાં સાંજે લગભગ 4:14 વાગ્યે આગ લાગી હતી. પ્રારંભિક માહિતી અનુસાર, બસ પાર્ક કરેલી હતી અને તે સમયે સંપૂર્ણપણે ખાલી હતી.
ADVERTISEMENT
આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનામાં કોઈ ઈજા થઈ નથી.
આગ કેવી રીતે લાગી?
આગનું કારણ હાલમાં અજ્ઞાત છે. અધિકારીઓનું કહેવું છે કે આગ કેવી રીતે લાગી તે તપાસ પછી જ ખબર પડશે. બસને નોંધપાત્ર નુકસાન થયું હતું, પરંતુ સમયસર આગ બુઝાવી દેવામાં આવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. અધિકારીઓએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે અકસ્માત સમયે બસમાં કોઈ મુસાફરો કે સ્ટાફ નહોતો, તેથી કોઈ જીવ જોખમમાં નહોતો.
બેસ્ટના કાફલામાં ઇલેક્ટ્રિક બસો
બેસ્ટ પાસે આશરે 2,700 બસોનો કાફલો છે. ઇલેક્ટ્રિક બસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. અહેવાલો અનુસાર, બેસ્ટે સ્વિચ મોબિલિટી પાસેથી 50 ઇલેક્ટ્રિક ડબલ-ડેકર બસો ભાડે લીધી છે, જે તેના કાફલાનો ભાગ છે.
તાજેતરમાં, થાણેમાંથી આગ લાગવાની ઘટના (Thane Fire) સામે આવી છે. આજે વહેલી સવારે થાણે પશ્ચિમના વાગલે એસ્ટેટ વિસ્તારમાં આવેલ જ્ઞાનેશ્વર નગરમાં વિદ્યુત વિતરણના યુનિટમાં આગ ભભૂકી ઊઠી હતી. આજે ચોથી મેના રોજ વહેલી સવારે આગ લગાવનો આ હાદસો સામે આવતાં ચકચાર મચી જવા પામી હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને લગભગ મોડી રાત્રે 2:55 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. ઘટના (Thane Fire)ની માહિતી મળતાંની સાથે ઇમર્જન્સી સેવાઓએ તાત્કાલિક ત્યાં આવી પહોંચીને પ્રતિક્રિયા આપી હતી. આ બાબતે વધુ માહિતી શેર કરતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારમાં પોલીસ ચોકીની નજીક આવેલા મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (મહાવિતરણ) ડિસ્ટ્રિબ્યુશન પોઇન્ટ પર આગ લાગી હતી. જેવી આ દુર્ઘટના વિષે જાણ થઈ કે તરત જ ફાયર બ્રિગેડની ટીમો ફાયર એન્જિન અને રેસ્ક્યૂ વેહિકલ સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ફાયરબ્રિગેડની ટીમોએ અડધો કલાકમાં તો લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં સફળતા મળી હતી. ફાયર બ્રિગેડની ટીમો તો ખરી જ પણ એની સાથેસાથે મહાવિતરણના કર્મચારીઓ પણ પરિસ્થિતિનું (Thane Fire) સંચાલન કરવા માટે દોડી આવ્યા હોવાની માહિતી મળી રહી છે. સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેની ખાતરી કરવા માટે મહાવિતરણના કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હોવાની માહિતી મળી રહી છે.,
