પીડિતાની માતાએ કહ્યું, “મને ખુશી છે કે વિભાગે આ બાબતે ઝડપી કાર્યવાહી કરી છે. હું મારા બાળક માટે ન્યાય ઇચ્છું છું અને હું ઇચ્છતી નથી કે આવી ઘટના અન્ય કોઈ માતા-પિતા સાથે બને. તપાસ પૂર્ણ થાય અને તારણો પર આધાર રાખીને, અમે આગળ વધીશું.”
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે અને વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મુંબઈ નજીક નાલાસોપારામાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક ચોંકાવનારી ઘટના ચર્ચાનો વિષય બની રહી છે. ત્યારે નાલાસોપારાની હાવર્ડ ઇંગ્લિશ સ્કૂલના નિદાહ નિઝાઉદ્દીન તરીકે ઓળખાતા એક શિક્ષકે દુર્ગંધની ફરિયાદ બાદ 8 વર્ષના છોકરાના પ્રાઇવેટ પાર્ટ પર કૉલિન નામનું કમર્શિયલ અને ઘરમૅ વપરાતું ગ્લાસ ક્લીનર છાંટ્યું હોવાનો આરોપ છે. જ્યારે માતા-પિતાએ આ ઘટના અંગે ફરિયાદ કરી અને શિક્ષક પાસેથી માફી માગી, ત્યારે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં શાળા દ્વારા ગંભીર ગેરવર્તણૂકનો ખુલાસો થયો અને તેને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો.
આ ઘૃણાસ્પદ ઘટના 23 જુલાઈના રોજ નોંધાઈ હતી, જ્યારે એક શિક્ષકે વર્ગમાં દુર્ગંધની ફરિયાદના નિવારણમાં 8 વર્ષના વિદ્યાર્થીના પ્રાઇવેટ પાર્ટ પર ક્લીન્ઝર છાંટી દીધું હતું. જ્યારે વિદ્યાર્થીના માતાપિતાને આ વિશે ખબર પડી, ત્યારે તેઓએ શિક્ષકને સત્તાવાર માફી માગી અને ફરિયાદ નોંધાવી. આ ઘટનાથી વાલીઓ અને સ્થાનિકોમાં રોષ ફેલાયો. @unexplored_vasai નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે આખી ઘટનાની જાણ કરી જેનાથી ઇન્ટરનેટ પર આક્રોશ ફેલાયો. હાવર્ડ ઇંગ્લિશ સ્કૂલ રાજ્ય શિક્ષણ વિભાગના રડાર હેઠળ આવી, જ્યારે એવું બહાર આવ્યું કે શાળા ઔરંગાબાદ સ્થિત એક અલગ શાળામાંથી લીવિંગ સર્ટિફિકેટ (LC) જાહેર કરી રહી છે, જેના કારણે હાવર્ડ સ્કૂલની નોંધણી અને કાયદેસરતા અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે, ખાસ કરીને કારણ કે વિદ્યાર્થી ત્યાં 3 વર્ષથી અભ્યાસ કરતો હતો.
ADVERTISEMENT
આ ઘટનાની જાણ થતાં, પાલઘર જિલ્લા પરિષદે આ ઘટના અંગે તાલુકા સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. તપાસ બાદ અધિકારીઓએ શાળાને નોટિસ ફટકારી અને તેને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. અહેવાલ મુજબ, પાલઘર જિલ્લા માધ્યમિકના નાયબ શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, "શાળાને બંધ કરવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે, અને આ બાબતની તપાસ ચાલુ છે. નોટિસ છતાં, જો શાળા કાર્યરત રહેશે, તો શાળા સામે FIR દાખલ કરવામાં આવશે."
પીડિતાની માતાએ કહ્યું, “મને ખુશી છે કે વિભાગે આ બાબતે ઝડપી કાર્યવાહી કરી છે. હું મારા બાળક માટે ન્યાય ઇચ્છું છું અને હું ઇચ્છતી નથી કે આવી ઘટના અન્ય કોઈ માતા-પિતા સાથે બને. તપાસ પૂર્ણ થાય અને તારણો પર આધાર રાખીને, અમે આગળ વધીશું.” 31 જુલાઈના રોજ મંત્રાલય ખાતે માતાપિતા અને જિલ્લા શિક્ષણ અધિકારીઓ વચ્ચે વધુ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નેટીઝન્સે શિક્ષકના કૃત્યની નિંદા કરી છે અને વિદ્યાર્થીની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. એક યુઝરે લખ્યું, "જો શિક્ષકો આવું વિચારે છે અને વર્તે છે, તો તેઓ તે ભૂમિકામાં સેવા આપવા માટે યોગ્ય નથી."

