Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પુણેના દગડૂશેઠ હલવાઈ ગણપતિને મળી A કૅટેગરીના ટૂરિસ્ટ-સ્પૉટ તરીકે માન્યતા

પુણેના દગડૂશેઠ હલવાઈ ગણપતિને મળી A કૅટેગરીના ટૂરિસ્ટ-સ્પૉટ તરીકે માન્યતા

Published : 18 May, 2026 07:19 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

A કૅટેગરીમાં સમાવવાને કારણે હવે દગડૂશેઠ મંદિર પરિસરનો મોટા પાયે વિકાસ કરવામાં આવશે

દગડૂશેઠ હલવાઈ ગણપતિ

દગડૂશેઠ હલવાઈ ગણપતિ


પુણેના શ્રીમંત દગડૂશેઠ હલવાઈ ગણપતિના લાખોની સંખ્યામાં ભાવિકો છે એટલું જ નહીં, દેશવિદેશમાંથી પણ અનેક લોકો એનાં દર્શન કરવા આવે છે. રાજ્ય સરકારે હવે એને ‘A’ કૅટેગરીના ટૂરિસ્ટ-સ્પૉટ તરીકે નોંધીને એનો વિકાસ કરવાનું નક્કી કર્યું છે. એથી આ પવિત્ર સ્થાનનો ટૂરિસ્ટની દૃષ્ટિએ પણ ઓવરઑલ વિકાસ કરવામાં આવશે એમ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે. ગણેશોત્સવમાં ૧૦ દિવસ દરમ્યાન અંદાજે બે કરોડ જેટલા ભાવિકો આ ગણપતિનાં દર્શન કરે છે. એ સિવાય સામાન્ય દિવસોમાં પણ રોજ અંદાજે ૩૫,૦૦૦થી ૪૦,૦૦૦ ભાવિકો દર્શન કરવા આવતા હોય છે. A કૅટેગરીમાં સમાવવાને કારણે હવે દગડૂશેઠ મંદિર પરિસરનો મોટા પાયે વિકાસ કરવામાં આવશે. વધુ પ્રવાસીઓને સમાવવાની ક્ષમતા સાથે સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 07:19 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK