સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા, સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (સીપીઆરઓ) સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે સંડોવાયેલા ત્રણ વ્યક્તિઓ ટ્રેનના મુસાફરો નહોતા પરંતુ શુક્રવારે મોડી રાત્રે નાસિક અને ઓઢા વચ્ચેના રેલવે પાટા પર અતિક્રમણ કરી રહ્યા હતા
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે
સેન્ટ્રલ રેલવેએ કર્મભૂમિ એક્સપ્રેસમાંથી ત્રણ યુવાનો પડી જતાં બેનું મૃત્યુ થયા હોવાના અહેવાલોને ફગાવી દીધા છે. કેટલાક અહેવાલોમાં એવું પણ સૂચવવામાં આવ્યું હતું કે ટ્રેનમાં ભીડ વધારે હોવાને કારણે યુવાનો પડી ગયા હતા. જોકે, રેલવેએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા, સ્પષ્ટતા કરી હતી કે વ્યક્તિઓ ટ્રેનમાં નહોતા પરંતુ નાસિક અને ઓઢા વચ્ચેના પાટા પર અતિક્રમણ કરી રહ્યા હતા, તે દરમિયાન આ ઘટના બની હતી. લોક ગાયિકા નેહા સિંહ રાઠોડે સોશિયલ મીડિયા પર રેલવેની ટીકા કર્યા બાદ અને તહેવારોની મોસમ દરમિયાન તહેનાત 12,000 વિશેષ ટ્રેનો પર મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યા બાદ આ સ્પષ્ટતા કરવામાં આવી છે. નિવેદનમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પીડિતોએ દારૂ પીધો હતો અને તેઓ મુંબઈ-રક્સૌલ કર્મભૂમિ એક્સપ્રેસના મુસાફરો નહોતા.
Don’t spread rumours or create panic among passengers.
— Central Railway (@Central_Railway) October 20, 2025
Always fact-check before sharing and share only verified information. #PIBFactCheck
Click on Link- https://t.co/44YuiW9kgS https://t.co/SSkLcp4D1B pic.twitter.com/SLXO1wQdVg
ADVERTISEMENT
સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ, વિગતવાર નિવેદન જાહેર કર્યું છે.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા, સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (સીપીઆરઓ) સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે સંડોવાયેલા ત્રણ વ્યક્તિઓ ટ્રેનના મુસાફરો નહોતા પરંતુ શુક્રવારે મોડી રાત્રે નાસિક અને ઓઢા વચ્ચેના રેલવે પાટા પર અતિક્રમણ કરી રહ્યા હતા. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અકસ્માત થયો તે પહેલાં ત્રણેયે દારૂ પીધો હોવાનું સામે આવ્યું છે. ઘટના પર વધુ પ્રકાશ પાડતા, અધિકારીએ જણાવ્યું કે આ ઘટના રાત્રે 9:30 વાગ્યાની આસપાસ, નાસિકથી લગભગ ત્રણ કિલોમીટર દૂર બની હતી. ટ્રેન ડ્રાઇવરે માહિતી આપી હતી કે ત્રણ લોકો પાટા પર પડી ગયા છે. માહિતી મળ્યા પછી, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સ્ટેશન સ્ટાફ તાત્કાલિક દોડી ગયા હતા અને ત્રણેયને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને એક સારવાર હેઠળ છે. CPRO એ ઉમેર્યું હતું કે એક આધાર કાર્ડ મળી આવ્યું હતું જે પીડિતોના પિતામાંથી એકનું હતું, જે તેમને ગુજરાતના દાહોદના રહેવાસી તરીકે ઓળખાવે છે. ઘાયલ થયેલા વ્યક્તિએ પાછળથી પુષ્ટિ પણ કરી હતી કે જૂથ દર્શન માટે શિરડી ગયું હતું અને નાસિક પરત ફર્યા પછી, તેઓએ રેલવે ટ્રેક પાર કરતા પહેલા દારૂ પીધો હતો, ત્યારબાદ તેમની ટ્રેન સાથે ટક્કર થઈ હતી. જેથી આ અહેવાલ ખોટા હોવાનું રેલવે પ્રશાસને સ્પષ્ટ કર્યું છે.
શું હતા અહેવાલ?
#WATCH | Mumbai, Maharashtra: CPRO, Central Railway, Swapnil Nila says, "On 18 October night around 9:30 pm, an incident occurred 3 km from Nashik. The train driver reported that some people had fallen on the side of the train. RPF and station staff immediately arrived, called an… pic.twitter.com/OVOwjs0ola
— ANI (@ANI) October 20, 2025
મહારાષ્ટ્રના નાસિક રેલવે સ્ટેશન પર એક દુ:ખદ અકસ્માત થયો. મુંબઈથી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસ પકડવાનો પ્રયાસ કરતી વખતે ત્રણ મુસાફરો ટ્રેનની અડફેટે આવી ગયા. બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે તેને હવે રેલવે દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે.

