Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એકનાથ શિંદે અમિત શાહનું ટેસ્ટ-ટ્યુબ બેબી છે

એકનાથ શિંદે અમિત શાહનું ટેસ્ટ-ટ્યુબ બેબી છે

Published : 22 June, 2026 08:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંજય રાઉતે વધુમાં કહ્યું હતું કે ‘શિવસેના કોની એ નિર્ણય હજી સુધી સુપ્રીમ કોર્ટ ૪ વર્ષમાં આપી શકી નથી એ તેમના દબાણને કારણે

સંજય રાઉત

સંજય રાઉત


કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમની કોલ્હાપુરની મુલાકાત દરમ્યાન જાહેરમાં કહ્યું હતું કે હવે એક જ શિવસેના રહી છે અને એકનાથ શિંદે એના અધ્યક્ષ છે એ વાતને લઈને શિવસેના (UBT)માં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે. શિવસેના (UBT)ના રાજ્યસભાના સભ્ય અને નેતા સંજય રાઉતે કહ્યું હતું કે ‘આ હિન્દુ હૃદયસમ્રાટ શિવસેના-પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું અપમાન છે. અમિત શાહ અવારનવાર મહારાષ્ટ્રનું અને શિવસેના-પ્રમુખનું અપમાન કરતા હોય છે. મૂળમાં શિવસેના એક જ છે અને એ બાળાસાહેબ ઠાકરેની અને ઉદ્ધવ ઠાકરેની છે. જે રીતે અત્યંત દ્વેષબુદ્ધિથી, વેર રાખીને અમિત શાહે મિંધે (એકનાથ શિંદે)નો ઉલ્લેખ શિવસેના-પ્રમુખ એ રીતે કર્યો એ તેમના મનમાં રહેલો મહારાષ્ટ્ર, શિવસેના-પ્રમુખ અને મરાઠી માણૂસ પ્રત્યેનો દ્વેષ છે. એકનાથ શિંદે અમિત શાહનું ટેસ્ટટ્યુબ બેબી છે અને એને ૪ વર્ષ થયાં છે. અમિત શાહે તેમણે તૈયાર કર્યા છે. તમે જેટલા દ્વેષથી શિવસેના-પ્રમુખનું અપમાન કરશો એટલા જ દ્વેષથી મહારાષ્ટ્રની જનતા તમારી સામે ઊભી રહેશે.’

આ શું સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે? એવો સવાલ કરીને સંજય રાઉતે વધુમાં કહ્યું હતું કે ‘શિવસેના કોની એ નિર્ણય હજી સુધી સુપ્રીમ કોર્ટ ૪ વર્ષમાં આપી શકી નથી એ તેમના દબાણને કારણે. સુપ્રીમ કોર્ટ તેમના દબાણના કારણે નિર્ણય આપતી નથી. તમે જ્યારે સુપ્રીમ કોર્ટનો અધિકાર લઈને કહો છો કે શિવસેના કોની છે તો એ બાબત જ સ્પષ્ટ કરે છે કે અમિત શાહના દબાણના કારણે જ સુપ્રીમ કોર્ટ નિર્ણય નથી આપી રહી. અમિત શાહના દબાણના કારણે જ ઇલેક્શન કમિશને શિવસેના પક્ષ અને એનું ચિહન મિંધે જૂથને આપ્યું. વળી અમિત શાહની દહેશત અને દબાણને કારણે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ને કારણે શિવસેના ફોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગઈ કાલે તેમણે જે કહ્યું એ તેમના પેટમાં ઝેર હતું એ હોઠ પર આવી ગયું હતું. શિવસેના-પ્રમુખની જગ્યા લેવાની પ્રેરણા એકનાથ શિંદેને અમિત શાહે આપી. એથી જ મહારાષ્ટ્રનું બહુ જ નુકસાન થયું છે. આમ હોવા છતાં જો મિંધે જૂથ તેમનું કહ્યું માનતું હોય તો એ મહારાષ્ટ્રની માટીથી, તેમની જનનીથી ગદ્દારી કરી રહ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2026 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK