Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઔરંગઝેબની કબર જ્યાં આવેલી છે એ ખુલતાબાદનું નામ બદલવામાં આવશે

ઔરંગઝેબની કબર જ્યાં આવેલી છે એ ખુલતાબાદનું નામ બદલવામાં આવશે

Published : 06 April, 2025 02:29 PM | Modified : 07 April, 2025 07:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્યના સમાજ કલ્યાણ પ્રધાન સંજય શિરસાટે જાહેર કર્યું...

સંજય શિરસાટે

સંજય શિરસાટે


છત્રપતિ સંભાજીનગરના ખુલતાબાદમાં આવેલી મોગલ શહેનશાહ ઔરંગઝેબની કબર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ કબર હટાવવા માટે હિન્દુત્વવાદી સંગઠનો આક્રમક થયાં છે અને કબર ખોદી નાખવાનું કહી રહ્યા છે ત્યારે કબર જ્યાં આવેલી છે એ ખુલતાબાદનું નામ બદલવાની જાહેરાત ગઈ કાલે રાજ્યના સમાજ કલ્યાણ પ્રધાન અને શિવસેનાના નેતા સંજય શિરસાટે કરી હતી.




સંજય શિરસાટે કહ્યું હતું કે ‘ઔરંગઝેબે રત્નાપુર ગામનું નામ બદલીને ખુલતાબાદ કર્યું હતું. આવી જ રીતે દેવગિરિનું નામ બદલીને દૌલતાબાદ કરી નાખ્યું હતું. ઔરંગાબાદનું છત્રપતિ સંભાજીનગર અને અહમદનગરનું નામ અહિલ્યાનગર કરવામાં આવ્યું છે એવી જ રીતે ઔરંગઝેબે જે-તે ગામ કે શહેરનાં નામ બદલ્યાં હતાં એનાં નામ બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજનાં સ્મારક બનાવવામાં આવી રહ્યાં છે. આથી ઔરંગઝેબે રાખેલાં નામ બદલવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK