Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેના કોલશેતથી ભિવંડીના કાલ્હેર વચ્ચે ૪૫ મિનિટનું અંતર પાંચથી ૭ મિનિટમાં કાપી શકાશે

થાણેના કોલશેતથી ભિવંડીના કાલ્હેર વચ્ચે ૪૫ મિનિટનું અંતર પાંચથી ૭ મિનિટમાં કાપી શકાશે

Published : 15 November, 2025 03:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વસઈની ખાડી પર ૪૩૦ કરોડ રૂપિયાના ખર્ચે ૨.૨ કિલોમીટર લાંબો પુલ બનશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


થાણે અને ભિવંડી વચ્ચે વાહનવ્યવહારને સરળ બનાવવા માટે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) થાણેના કોલશેતને ભિવંડીના કાલ્હેર સાથે જોડવા માટે વસઈ ખાડી પર ૬ લેનનો પુલ બનાવવાની યોજના બનાવી રહી છે.

૨.૨ કિલોમીટર લાંબા આ પુલનો અંદાજે ખર્ચ ૪૩૦ કરોડ રૂપિયા છે. પુલ બની જતાં થાણે અને ભિવંડી વચ્ચે મુસાફરીનો સમય લગભગ ૪૫ મિનિટથી ઘટીને માત્ર પાંચથી સાત મિનિટનો થઈ જશે. MMRDAએ ગુરુવારે આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યાં છે અને ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થવાની અપેક્ષા છે.



આ પુલ ઔદ્યોગિક કેન્દ્ર ભિવંડીની કનેક્ટિવિટી સુધારવાના પ્રયાસનો એક ભાગ છે. અહીં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કૉરિડોરનું એક સ્ટેશન પણ બનશે. કોલશેતથી કાલ્હેર પહોંચવા માટે અત્યારે બાળકુમ નાકા અને જૂના કશેળી પુલના માર્ગે લાંબી સફર ખેડવી પડે છે. MMDRAએ ભિવંડી નોટિફાઇડ સરાઉન્ડિંગ એરિયા (BNSA)નો પણ પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં ટેક્સટાઇલ-કમ-ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને મલ્ટી-મૉડલ કૉરિડોર જેવા પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સનો સમાવેશ છે.


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2025 03:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK