Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગઈ કાલે મરાઠવાડામાં ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસે તેમને મારેલો ટોણો પાછો આપ્યો

ગઈ કાલે મરાઠવાડામાં ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસે તેમને મારેલો ટોણો પાછો આપ્યો

Published : 09 November, 2025 07:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેવેન્દ્ર ફડણવીસ ઍક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર છે, નહીં તો મુખ્ય પ્રધાન એકનાથ શિંદે હોત

ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર

ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર


શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અત્યારે મરાઠવાડાના પ્રવાસ પર છે. ગઈ કાલે જાલનામાં એક પત્રકાર-પરિષદ દરમ્યાન તેમણે સરકારની આકરી ટીકા કરી હતી અને દેવેન્દ્ર ફડણવીસને ‘ઍક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર’ ગણાવ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘BJP એટલે ભારતીય જનતા પાર્ટી નહીં, એ તો ‘ભ્રષ્ટ જનતાનો પક્ષ’ છે. આ સરકાર ખેડૂતોની સમસ્યાઓની અવગણના કરી રહી છે. ખેડૂતોને સહાય માટે સરકારે આપેલાં વચનો પોકળ સાબિત થયાં છે. આ દેવેન્દ્ર ફડણવીસ તો ઍક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર છે, નહીં તો મુખ્ય પ્રધાન પદ એકનાથ શિંદેને આપવામાં આવ્યું હોત.’



નોંધનીય છે કે થોડા મહિનાઓ પહેલાં દેવેન્દ્ર ફડણવીસે બુલેટ ટ્રેનનું કામ અટકાવવા બદલ ઉદ્ધવ ઠાકરેની સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ઍક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેનનું કામ અટકાવી દીધું હતું.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2025 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK