કેન્દ્ર સરકારે બાળકો માટે કોરોનાની ગાઈડલાઈન્સ જાહેર કરી છે.
કોન્સેપ્ટ ફોટો
કોરોનાના હાહાકાર વચ્ચે કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા સેવાઈ રહી છે. જેમાં બાળકો પર સૌથી વધુ અસર થવાના એંધાણ છે. તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા બાળકોને લઈ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.
બાળકોને લઈ જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સમાં કેન્દ્ર સરકારે કહ્યું કે કોરોના સંકટમાં બાળકો માટે રેમડેસિવિરનો ઉપયોગ ન કરવામાં આવે. આ ઉપરાંત બાળકોને લઈ અનેક તકેદારી રાખવા કેન્દ્ર સરકારે ગાઈડલાઈન્સ આપી છે.
ADVERTISEMENT
- સ્ટેરૉઈડ્સનો ઉપયોગ માત્ર હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે જ કરવામાં આવે, એ પણ યોગ્ય સમય પર અને યોગ્ય માત્રામાં. ઘર પર ખુદ તેનો ઉપયોગ ન કરવો.
- બાળકો માટે રેમડેસિવિરનો ઉપયોગ ન કરવો. 18 વર્ષના કિશોર પર રેમડેસિવિરનો ઉપયોગ કરવાના ફાયદાનો કોઈ ડેટા નથી.
- હાઈ રેજોલ્યુશન સીટીનો ઉપયોગ પણ બહુ સમજી વિચારીને કરવો જોઈએ, જેથી તેની કોઈ આજ અસર ન સર્જાઈ.
- જે બાળકોને કોવિડના માઈલ્ડ લક્ષણો હોય તે બાળકોને 10-15 MG પેરાસિટામોલ આપી શકાય છે. કોઈ પણ લક્ષણ ન ધારવતા બાળકો અંગે કોઈ ખાસ સુચના આપવામાં આવી નથી.
- જો કોઈ બાળકમાં કોરોનાના ગંભીર લક્ષણો દેખાઈ તો તેને ઓકિસજન થેરેપીની સલાહ આપવામાં આવી છે.
- 12 વર્ષથી મોટી વયના બાળકોને જો કોરોના ગંભીર લક્ષણો જણાઈ તો તેમને 6 મીનિટ વૉક ટેસ્ટની સલાહ આપવામાં આવી છે, તે પણ કોઈના નિરિક્ષણ હેઠળ. બાળકની આંગળી પર ઓક્સિમીટર લગાવવું અને તેને 6 મીનિટ સુધી રુમમાં જ ચાલવાનું કહેવું.
ઉલ્લેખનીય છે કે કોરોનાની ત્રીજી વેવમાં બાળકો પર ગંભીર અસર થવાની વાતો વહેતી થઈ છે. પરંતુ આ અંગે કેટલાક ડોક્ટર્સે કહ્યું છે કે હજી સુધી આ મામલે કોઈ ડેટા મળ્યો નથી. પરંતુ તેમ છતાં સાવચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં હવે બાળકો પર વેક્સિન ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.