Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યાથી વારાણસીની સફર પાંચ કલાકને બદલે બે કલાકમાં થશે

અયોધ્યાથી વારાણસીની સફર પાંચ કલાકને બદલે બે કલાકમાં થશે

Published : 29 December, 2025 09:44 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે મુખ્ય યાત્રાધામોને જોડતો ૬ લેન હાઈ-સ્પીડ કૉરિડોર તૈયાર કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અયોધ્યા અને વારાણસી વચ્ચે ૬ લેનનો હાઈ-સ્પીડ ઍક્સેસ કન્ટ્રોલ કૉરિડોર બનાવવાની યોજના બનાવવામાં આવી છે અને આનાથી હાલમાં આ રૂટ પર પ્રવાસ કરવામાં જે પાંચ કલાક લાગે છે એને બદલે બે કલાકમાં પ્રવાસ પૂર્ણ થશે. નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)એ આ પ્રોજેક્ટ માટે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા માટે સલાહકાર એજન્સીની નિમણૂક કરવા માટે ટેન્ડર મગાવ્યાં છે. એજન્સીને સર્વેક્ષણ કરવા અને DPR તૈયાર કરવામાં ઓછામાં ઓછું દોઢ વર્ષ લાગશે.

આ કૉરિડોરના નિર્માણ સાથે અયોધ્યાથી વારાણસીનું અંતર ઘટીને લગભગ ૨૦૦ કિલોમીટર થઈ જશે. આ પ્રોજેક્ટ ધાર્મિક પર્યટનને વેગ આપશે. જોકે કૉરિડોર પૂર્ણ થવામાં સમય લાગશે. એ પહેલાં ૬૭ કિલોમીટર લાંબો રિંગ રોડ ૨૦૨૭માં પૂર્ણ થશે. અયોધ્યા-વારાણસી પ્રોજેક્ટને પછી ચિત્રકૂટ સાથે પણ જોડવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2025 09:44 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK