Ahmedabad Plane Crash: અકસ્માતના સમાચાર મળતા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ સાથે વાત કરી હતી.
પ્લૅન ક્રેશની તસવીર (સૌજન્ય: એજન્સી)
ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક પેસેન્જર વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત 242 લોકો સવાર હતા. અકસ્માતના સમાચાર મળતા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ સાથે વાત કરી હતી.
PM મોદી અને અમિત શાહ જશે અમદાવાદ
PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને તાત્કાલિક રીતે અમદાવાદ જવા નીકળ્યા છે જેથી હાલતની સમીક્ષા કરી શકાય અને રાહત કામગીરીને દ્રઢ બનાવાઈ શકે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂ પણ સ્થળે પહોંચશે.
ADVERTISEMENT
સમાચાર એજન્સી ANI એ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાત કરી હતી. તેમણે તેમને અમદાવાદની મુલાકાત લેવા અને વિમાન દુર્ઘટનામાં અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા જણાવ્યું છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી અમદાવાદ જઈ રહ્યા છે
નાગરિક ઉડ્ડયન મંત્રી કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ નાયડુ સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી અને અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે પૂછપરછ કરી હતી. કાર્યાલયના જણાવ્યા અનુસાર, "મંત્રીએ પ્રધાનમંત્રીને કહ્યું હતું કે તેઓ જમીન પર બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદ જઈ રહ્યા છે."
એક અધિકારીએ જણાવ્યું હતું કે, "વડાપ્રધાનએ મંત્રીને તાત્કાલિક તમામ જરૂરી સહાય પૂરી પાડવા અને પરિસ્થિતિ અંગે નિયમિત અપડેટ આપવાનો નિર્દેશ આપ્યો છે." આ ઉપરાંત, અધિકારીએ જણાવ્યું હતું કે તમામ સંબંધિત એજન્સીઓ ઉચ્ચ સતર્કતા પર છે અને સંકલિત પ્રયાસો ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ શાહ અને નાયડુ બંનેને અમદાવાદની મુલાકાત લેવા અને વિમાન દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા જણાવ્યું છે.
ઍર ઇન્ડિયાનું પ્રવાસી વિમાન અમદાવાદના ક્રૅશ થયું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં લગભગ 242 જેટલા પ્રવાસીઓ હતા, જોકે તેમના બાબતે કોઈ વધુ માહિતી સામે આવી નથી અને આ આંકડો ઓછો કે વધારે પણ હોઈ શકે છે. આ ઘટનાને લઈને એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જોકે કેટલા પ્રવાસીઓ જખમી કે મૃત્યુ પામ્યા છે તે અંગે કોઈપણ માહિતી સામે આવી નથી. અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું ઍર ઇન્ડિયાનું પ્લેન ક્રેશમાં 100 લોકોના મોત થયા હોવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઇટમાં ગુજરાતના ભુતપૂર્વ મૂખ્ય પ્રધાન વિજ્ય રૂપાણી પણ હતા એવી આશંકા છે. ટેક ઑફ થયા બાદ બે મિનિટમાં જ આ પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટના મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડ ખાતે બની હતી.

