Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યામાં ૧૪ કિલોમીટરના રામપથ પર માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ

અયોધ્યામાં ૧૪ કિલોમીટરના રામપથ પર માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ

Published : 03 May, 2025 09:14 AM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાન, ગુટકા, બીડી, સિગારેટ તથા મહિલા અને પુરુષોનાં અન્ડરગાર્મેન્ટ્સની જાહેરાત પણ નહીં કરી શકાય

અયોધ્યામાં ૧૪ કિલોમીટરના રામપથ પર માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ

અયોધ્યામાં ૧૪ કિલોમીટરના રામપથ પર માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ


અયોધ્યા સુધરાઈએ અયોધ્યા અને ફૈઝાબાદ શહેરોને જોડતા મહત્ત્વપૂર્ણ માર્ગ એવા રામ પથના ૧૪ કિલોમીટરના વિસ્તારમાં દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ મંજૂર કર્યો છે. આ પ્રતિબંધ પાન, ગુટકા, બીડી, સિગારેટ અને મહિલા અને પુરુષોનાં અન્ડરગાર્મેન્ટ્સની જાહેરાત પર પણ લાગુ પડશે. અયોધ્યાના મેયર ગિરીશ પતિ ત્રિપાઠીએ ગુરુવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી.


અયોધ્યામાં માંસ અને દારૂના વેચાણ પર પહેલેથી પ્રતિબંધ છે, પણ આ નિયમનું પાલન થતું નથી. જોકે સુધરાઈએ મંજૂર કરેલા ઠરાવનો હેતુ ફૈઝાબાદ શહેરના વિસ્તારોને આવરી લેતા સમગ્ર રામ પથ પર પ્રતિબંધો લાગુ કરવાનો છે.



અયોધ્યા સુધરાઈની કારોબારી સમિતિમાં મેયર, નાયબ મેયર અને ૧૨ નગરસેવકોનો સમાવેશ થાય છે. આ સમિતિમાં ફક્ત એક મુસ્લિમ નગરસેવક સુલતાન અન્સારી છે જેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ના છે.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2025 09:14 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK