Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાજ્યપાલ સત્યપાલ મલિકના બયાન બાદ ગોવાના મુખ્ય પ્રધાનના રાજીનામાની માગણી

રાજ્યપાલ સત્યપાલ મલિકના બયાન બાદ ગોવાના મુખ્ય પ્રધાનના રાજીનામાની માગણી

Published : 27 October, 2021 09:45 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભ્રષ્ટાચાર વિશે પ્રશ્નો ઉઠાવતાં મેઘાલયમાં કરવામાં આવી હતી બદલી

સત્યપાલ મલિક

સત્યપાલ મલિક


આમ આદમી પાર્ટીએ મંગળવારે ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતના રાજીનામાની માગણી કરી છે. ગોવાના ભૂતપૂર્વ ગવર્નર સત્યપાલ મલિકે એવા આક્ષેપ કર્યા છે કે ગોવા સરકારમાં ભ્રષ્ટાચાર ફેલાયેલો છે અને એ વિશે પ્રશ્નો ઉઠાવતાં તેમની મેઘાલયમાં બદલી કરવામાં આવી.


મેઘાલયના ગવર્નર બન્યા પછી ન્યુઝ-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં સત્યપાલ મલિકે કહ્યું હતું કે ગોવાની સરકારમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એ વિશે પ્રશ્નો ઉઠાવતાં તેમને મેઘાલય મોકલવામાં આવ્યા. આમ આદમી પાર્ટીએ મલિકના આક્ષેપના પગલે ગોવા સરકારમાં ભ્રષ્ટાચારના તપાસની પણ માગણી કરી છે. આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે કદાચ પહેલી વાર બીજેપીએ નીમેલા ગવર્નર દ્વારા બીજેપીના જ મુખ્ય પ્રધાન સામે ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા છે.



મલિકે કહ્યું હતું કે ગોવા સરકારની ઘરે-ઘરે અનાજ વિતરણની યોજના અસંભવ હતી. માત્ર એક કંપનીના આગ્રહને લીધે આ યોજના અમલમાં મૂકવામાં આવી. કૉન્ગ્રેસ સહિતના આગેવાનો દ્વારા મને આ મામલે તપાસ કરવાની વિનંતી કરવામાં આવી હતી. આ મામલામાં તપાસ કર્યા બાદ મેં વડા પ્રધાનને જાણ કરી હતી. એ ઉપરાંત ઍરપોર્ટ પાસેના એક વિસ્તારમાં ખોદકામ માટે ટ્રકની આવ-જા થતી હતી. કોરોનાની પરિસ્થિતિ જોતાં એ બંધ કરાવવા મેં સૂચવ્યું હતું, પણ રાજ્ય સરકારે એ ન સાંભળ્યું અને અંતે એ જ વિસ્તાર કોરોના હૉટસ્પૉટ બન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2021 09:45 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK