Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમ્રિતસરમાં નૉન-વેજ પર મુકાયેલા પ્રતિબંધ વિશે ટૂરિઝમ ઍડ્વાઇઝરનો બચાવ, કહ્યું...

અમ્રિતસરમાં નૉન-વેજ પર મુકાયેલા પ્રતિબંધ વિશે ટૂરિઝમ ઍડ્વાઇઝરનો બચાવ, કહ્યું...

Published : 30 December, 2025 03:11 PM | IST | Amritsar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આખી દુનિયાને કંઈ ચિકન વેચીને જીવવાની જરૂર નથી

દીપક બાલી

દીપક બાલી


અમ્રિતસર શહેરને પવિત્ર દરજ્જો મળ્યા પછી પંજાબ સરકાર દ્વારા માંસાહારી ખોરાકના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય વચ્ચે પંજાબ સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના વિભાગના સલાહકાર દીપક બાલીએ આ પગલાનો બચાવ કરતાં કહ્યું કે ‘આ શહેરના આધ્યાત્મિક વારસા અને ગુરુ રામદાસસાહેબના ઉપદેશોના સન્માનમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આખી દુનિયાએ ચિકન વેચીને જીવવાની જરૂર નથી.’
શહેરના આધ્યાત્મિક મહત્ત્વ પર ભાર મૂકતાં એક ન્યુઝ-ચૅનલ સાથેની વાતચીતમાં દીપક બાલીએ કહ્યું હતું કે ‘આ ગુરુસાહેબની ભૂમિ છે. ગુરુ રામદાસસાહેબે આ શહેરની સ્થાપના કરી હતી એથી આદર સાથે કહેવું જોઈએ કે આપણે એની પ્રશંસા કરવી જોઈએ કે પંથની સરકારો જે ન કરી શકી એ આપણે કરી બતાવ્યું છે અને આ લોકો આપણી સાથે છે. આપણા ગુરુસાહેબથી મોટું કાંઈ નથી. અમે લોકોને વિનંતી કરીએ છીએ કે તેઓ બીજાઓથી પ્રભાવિત ન થાય. અમે બધાને આ સ્વીકારવા વિનંતી કરીએ છીએ.’
માંસાહારી ખોરાક પર પ્રતિબંધને કારણે આજીવિકા પર અસર પડી રહી છે એ વિશેની ચિંતાઓના જવાબમાં દીપક બાલીએ કહ્યું હતું કે ‘આખી દુનિયાને ચિકન વેચીને જીવવાની જરૂર નથી. જો તેઓ કામ કરે છે તો તેઓ બીજે ક્યાંક કામ શોધી શકશે. તેઓ એ બહાર કરી શકે છે. આ હવે કાયદો બની ગયો છે અને એનો અમલ કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2025 03:11 PM IST | Amritsar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK