સરકારી નોકરી મેળવનારા લોકોને રાહત મળી, પરંતુ આંદોલનકારીઓ માટે ભારે ગૂંચવાડો પેદા થયો
પ્રતીકાત્મક તસવીર
આંદોલનને વશ થઈને ઝારખંડ સરકારે સરકારી નોકરીઓ માટેની ૨૦૧૪થી લેવાયેલી કૉમ્પિટિટિવ રિક્રૂટમેન્ટ પરીક્ષાઓ, એનાં પરિણામ અને એને પગલે થયેલી નિયુક્તિઓ રદ કરવાનો જે નિર્ણય લીધો હતો એના પર ઝારખંડ હાઈ કોર્ટે સ્ટે મૂકી દીધો છે.
સરકારના નિર્ણયથી વિરોધ કરતા લોકોની મુખ્ય માગણી સંતોષાઈ હતી, પણ જે ઉમેદવારો પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવી ચૂક્યા હતા તેમણે સરકારના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો. તેમનો સ્પષ્ટ તર્ક છે કે જ્યાં સુધી કોઈ ગેરરીતિ સાબિત ન થાય ત્યાં સુધી ઉમેદવારોને સજા ન આપવી જોઇએ. જોકે હવે કોર્ટ દ્વારા સ્ટે મળી જતાં આ સમગ્ર મામલો ગૂંચવાયો છે.
