શ્રી હનુમાનજીનો અભિષેક દિવ્ય રસાયણથી કરવામાં આવ્યો. એ પછી દૂધ, ચંદનથી પૂજા-અર્ચના કરવામાં આવી
બડા મંગલ ઉત્સવ
અયોધ્યામાં જેઠ મહિનાના પહેલા મંગળવારે હનુમાનગઢીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઊમટ્યા હતા. જેઠનો પ્રથમ મંગળવાર ‘બડા મંગલ’ કહેવાય છે. એવી માન્યતા છે કે આ દિવસે હનુમાનજીનું પરાક્રમ સૂર્યના તેજથી અત્યંત પ્રભાવી થઈ જાય છે. સવારે ચાર વાગ્યાથી જ શ્રદ્ધાળુઓ અયોધ્યામાં પવિત્ર સરયૂ નદીમાં સ્નાન કરીને બજરંબલીની સિદ્ધપીઠ ગણાતી હનુમાનગઢીમાં દર્શન કરવા પહોંચી ગયા હતા.
આ ખાસ પર્વ પર શ્રી હનુમાનજીનો અભિષેક દિવ્ય રસાયણથી કરવામાં આવ્યો. એ પછી દૂધ, ચંદનથી પૂજા-અર્ચના કરવામાં આવી.
ADVERTISEMENT
હવે પછી જેઠ મહિનાના દરેક મંગળવારે હનુમાનજી મંદિરે ખાસ પૂજાઅર્ચના થશે. અધિક જેઠ માસ હોવાથી આ વર્ષે ૮ મંગળવારનું પર્વ છે. જોકે ગઈ કાલે સૌથી મોટો અને સૌથી પ્રભાવશાળી અસર કરનારો દિવસ હતો.
