Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જમ્મુના રાજૌરી અને રિયાસીમાં થયેલા હુમલાના સૂત્રધારની પાકિસ્તાનમાં થઈ હત્યા

જમ્મુના રાજૌરી અને રિયાસીમાં થયેલા હુમલાના સૂત્રધારની પાકિસ્તાનમાં થઈ હત્યા

Published : 17 March, 2025 11:22 AM | IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અબુ કતાલનું તો મોત થઈ ગયું, પણ આ હુમલામાં હાફિઝ સઈદ ઘવાયો હોવાની ચર્ચા

અબુ કતાલ પોતાના વાહનમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે બે અજ્ઞાત લોકોએ તેના પર હુમલો કર્યો હતો

અબુ કતાલ પોતાના વાહનમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે બે અજ્ઞાત લોકોએ તેના પર હુમલો કર્યો હતો


જમ્મુ અને કાશ્મીરમાં અનેક આતંકવાદી હુમલામાં સંડોવાયેલા લશ્કર-એ-તય્યબાના આતંકવાદી અબુ કતાલની હત્યા કરવામાં આવ્યા બાદ થોડા કલાકોમાં આ આતંકવાદી સંગઠનના સ્થાપક એવા હાફિઝ સઈદ વિશે પણ ચર્ચા શરૂ થઈ હતી કે તે પણ આ હુમલામાં ઘવાયો છે. તેને ઈજા થઈ છે પણ તે સુરક્ષિત હોવાનું અહેવાલોમાં જાણવા મળે છે. સઈદને ઈજા પહોંચી છે પણ તેની પૂરી જાણકારી પ્રાપ્ત થઈ નહોતી.


અબુ કતાલ પોતાના વાહનમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે બે અજ્ઞાત લોકોએ તેના પર હુમલો કર્યો હતો. અબુ કતાલ પર હુમલો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના મંગલા શહેરમાં થયો હોવાનું માનવામાં આવે છે. રાજૌરીમાં ૨૦૨૩ના જાન્યુઆરી મહિનામાં થયેલા હુમલાનો તે મુખ્ય સૂત્રધાર હતો. આ સિવાય ૯મી જૂને જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં શિવખોડી મંદિરથી ભાવિકોને પાછી લઈને ફરી રહેલી બસ પરના હુમલા માટે પણ અબુ કતાલ જવાબદાર હતો. તે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મોસ્ટ વૉન્ટેડ યાદીમાં સામેલ છે.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2025 11:22 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK