Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ASEAN સમિટ માટે નરેન્દ્ર મોદી મલેશિયા નહીં જાય

ASEAN સમિટ માટે નરેન્દ્ર મોદી મલેશિયા નહીં જાય

Published : 24 October, 2025 08:35 AM | Modified : 24 October, 2025 10:19 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાર્યક્રમોની વ્યવસ્તાને કારણે વડા પ્રધાનનું મલેશિયા જવાનું આયોજન કૅન્સલ થયું છે

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


૨૬થી ૨૮ ઑક્ટોબર દરમ્યાન મલેશિયામાં યોજાઈ રહેલી ASEAN (અસોસિએશન ઑફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ) વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયા નહીં જાય. સત્તાવાર અહેવાલ પ્રમાણે કાર્યક્રમોની વ્યવસ્તાને કારણે વડા પ્રધાનનું મલેશિયા જવાનું આયોજન કૅન્સલ થયું છે. હવે આ સમિટમાં નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે. આ માટે તેમણે મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ વર્ચ્યુઅલી આ સમિટમાં ભાગ લેવા માટે અને બન્ને દેશો વચ્ચેના સંબંધને વધુ મજબૂત કરવા માટે ઉત્સુક છે. ક્વાલા લમ્પુરમાં ૨૭ ઑક્ટોબરે ૨૦મી ઈસ્ટ-એશિયા સમિટમાં વિદેશપ્રધાન એસ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

સબરીમલા જનારાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યાં દ્રૌપદી મુર્મુ




રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સબરીમલા મંદિરમાં દર્શન માટે પહોંચનારાં ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યાં હતાં. બુધવારે તેમણે પરંપરાગત રીતે પૂજાસામગ્રીનો થેલો જાતે ઉપાડીને સબરીમલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને ભગવાન ઐયપ્પાનાં દર્શન કર્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2025 10:19 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK