ભારતીયોને રાહત, હવે ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો લઈ જઈ શકાશે
ફાઇલ તસવીર
નેપાલની બાલેન શાહ સરકારે ભારતીય ચલણ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે જેનાથી ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો દેશમાં લાવવા અને બહાર લઈ જવા માટે મંજૂરી આપી દીધી છે. આનાથી નેપાલમાં મુસાફરી કરતા ભારતીયો તેમ જ સરહદી વિસ્તારોમાં રહેતા નેપાલી રહેવાસીઓને નોંધપાત્ર રાહત મળશે. નવેમ્બર ૨૦૧૬માં ભારતમાં નોટબંધી પછી ફક્ત ૧૦૦ રૂપિયાની નોટોને નેપાલમાં લાવવાની અને બહાર લઈ જવાની મંજૂરી હતી. બાલેન શાહ સરકારે હવે ભારતીય અને નેપાલી નાગરિકોને ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો લઈ જવાની પરવાનગી આપી છે. મહત્તમ મર્યાદા ૨૫,૦૦૦ રૂપિયા છે. જોકે ૨૦૧૬ની ૯ નવેમ્બર પહેલાં જારી કરાયેલી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો પર પ્રતિબંધ રહેશે.
