Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યામાં રામઘાટ પર બનશે ભગવાન રામની કથા પર આધારિત વૅક્સ મ્યુઝિયમ

અયોધ્યામાં રામઘાટ પર બનશે ભગવાન રામની કથા પર આધારિત વૅક્સ મ્યુઝિયમ

Published : 05 February, 2025 09:18 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અયોધ્યામાં દૂર-દૂરથી આવતા ભાવિકો રામમંદિર સિવાય બીજાં મઠ અને મંદિરોમાં જાય છે પણ આવા મ્યુઝિયમમાં પણ જાય તો ધાર્મિક યાત્રા સાથે પર્યટનનો આનંદ પણ માણી શકે એવી સુવિધા તૈયાર કરવામાં આવી રહી છે.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


રામનગરી અયોધ્યાનો વિકાસ ધાર્મિક સાથે હવે પર્યટનની દૃષ્ટિએ પણ કરવામાં આવી રહ્યો છે. રામઘાટ ક્ષેત્રમાં એક વૅક્સ મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે જે ભગવાન રામની કથા પર આધારિત હશે, એને રામાયણ વૅક્સ મ્યુઝિયમ એવું નામ આપવામાં આવ્યું છે.


અયોધ્યામાં દૂર-દૂરથી આવતા ભાવિકો રામમંદિર સિવાય બીજાં મઠ અને મંદિરોમાં જાય છે પણ આવા મ્યુઝ‌િયમમાં પણ જાય તો ધાર્મિક યાત્રા સાથે પર્યટનનો આનંદ પણ માણી શકે એવી સુવિધા તૈયાર કરવામાં આવી રહી છે.



રામાયણ વૅક્સ મ્યુઝ‌િયમમાં રામચરિત માનસની કથા પર આધારિત ૫૦ પ્રસંગના મૉડલ વિકસાવવામાં આવશે અને આ માટે પરિક્રમા માર્ગ પર રામઘાટ વિસ્તારમાં ૧૦,૦૦૦ ચોરસ ફીટ પર આ પ્રોજેક્ટ ઊભો કરવામાં આવશે. એમાં બે ક્વિન્ટલ વૅક્સનો ઉપયોગ થશે. આ મ્યુઝિયમ બનાવવાની યોજના ૨૦૨૩માં તૈયાર કરવામાં આવી હતી. આ મ્યુઝિયમ માટે બિલ્ડિંગ તૈયાર થઈ ચૂક્યું છે. પ્રતિમાઓ બનાવવા માટે સારી ક્વૉલિટીના વૅક્સનો ઉપયોગ કરવામાં આવશે. એક-એક મૉડલ બનાવવામાં ૩૦થી ૩૫ કિલો વૅક્સ વપરાશે. આ યોજના પાછળ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયા સુધીમાં આ પ્રોજેક્ટ તૈયાર થશે. ઉત્તર પ્રદેશમાં એક પણ વૅક્સ મ્યુઝ‌િયમ નથી તેથી આ પહેલું વૅક્સ મ્યુઝ‌િયમ બની રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2025 09:18 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK