Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તામિલનાડુ સરકારે મંદિરોનું ૧૦૦૦ કિલો સોનું પીગળાવીને મેળવી વર્ષે આવક

તામિલનાડુ સરકારે મંદિરોનું ૧૦૦૦ કિલો સોનું પીગળાવીને મેળવી વર્ષે આવક

Published : 19 April, 2025 07:41 AM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મુદ્દે આ વિભાગના મિનિસ્ટર પી. કે. શેખર બાબુએ જણાવ્યું હતું કે આ રકમનો ઉપયોગ સંબંધિત મંદિરોનાં વિકાસકામો માટે કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તામિલનાડુ સરકારે ૨૧ મંદિરોમાં ભાવિકો દ્વારા ચડાવવામાં આવેલા પણ વપરાયા વિના પડી રહેલા આશરે ૧૦૦૦ કિલો સોનાને ગાળીને એના ૨૪ કૅરૅટના બાર તૈયાર કર્યા હતા અને સરકારની ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ બૅન્કમાં જમા કરાવ્યા હતા. આ ગોલ્ડ બાર પર સરકારને એક વર્ષમાં ૧૭.૮૧ કરોડ રૂપિયાનું વ્યાજ મળ્યું હતું. આ મુદ્દે આ વિભાગના મિનિસ્ટર પી. કે. શેખર બાબુએ જણાવ્યું હતું કે આ રકમનો ઉપયોગ સંબંધિત મંદિરોનાં વિકાસકામો માટે કરવામાં આવશે.


સોનાના આ દાગીના મૂર્તિઓને પહેરાવવામાં આવતા નહોતા તેથી એને મુંબઈ લઈ જઈને સરકારી મિન્ટમાં ગાળવામાં આવ્યા હતા અને ૨૪ કૅરૅટના બારને ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં જમા કરાવવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2025 07:41 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK