Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રાજસ્થાનમાં ગાયો ચરાવવા માટે ગોવાળોની નોકરીની ભરતી શરૂ થઈ

રાજસ્થાનમાં ગાયો ચરાવવા માટે ગોવાળોની નોકરીની ભરતી શરૂ થઈ

Published : 25 February, 2026 12:10 PM | IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકાર પ્રાચીન ગોચારણ પરંપરાને પુનર્જીવિત કરવા માટે આ નવી યોજના લાવી છે

રાજસ્થાન સરકારની યોજના ગાંવ ગ્વાલા યોજના ખૂબ ચર્ચામાં છે

અજબગજબ

રાજસ્થાન સરકારની યોજના ગાંવ ગ્વાલા યોજના ખૂબ ચર્ચામાં છે


આજકાલ રાજસ્થાન સરકારની એક યોજના ખૂબ ચર્ચામાં છે અને એનું નામ છે ગાંવ ગ્વાલા યોજના. આ યોજનામાં ગાય ચરાવનારા ગોવાળોની ભરતી કરવામાં આવી રહી છે અને તેમને એને માટે પગાર પણ આપવામાં આવશે. રાજસ્થાનના શિક્ષાપ્રધાન મદન દિલાવરે કોટા જિલ્લાના રામગંજમંડીમાં ૧૪ ગામડાંઓમાં ગોવાળની નિયુક્તિ કરી છે. સરકાર પ્રાચીન ગોચારણ પરંપરાને પુનર્જીવિત કરવા માટે આ નવી યોજના લાવી છે. આ ગોવાળો રોજ ગામની ગાયોને સામૂહિક રૂપે ગોચરભૂમિ સુધી ચરાવવા લઈ જશે અને સાંજે એમને ઘરે પાછી લાવશે. ગાયોને આખો દિવસ ચરવા માટે છુટ્ટી મૂકી દેવામાં આવશે અને સાંજે પાછી એમને ગામનાં ઘરોમાં મોકલવામાં આવશે. દર ૭૦ ગાયે એક ગોવાળની નિયુક્તિ કરવામાં આવી છે. જો ગાયની સંખ્યા વધશે તો એ ગામમાં બીજા ગોવાળો પણ નિયુક્ત કરવામાં આવશે. દરેક ગોવાળને ગાય ચરાવવાનો પગાર ૧૦,૦૦૦ રૂપિયા મળશે. આ યોજના ગામના દાતાઓના સહયોગથી સંચાલિત થઈ રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2026 12:10 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK