Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભગવાનને કારણે માંદગી આવી એટલે એના ઇલાજનો ખર્ચ પણ ભગવાન જ કરશે

ભગવાનને કારણે માંદગી આવી એટલે એના ઇલાજનો ખર્ચ પણ ભગવાન જ કરશે

Published : 01 September, 2025 09:04 AM | IST | Durg
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંદિરોમાં ચોરી કરતાં પકડાયેલા ચોરનું કહેવું હતું...

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં એક અનોખો ચોર પકડાયો છે

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં એક અનોખો ચોર પકડાયો છે


છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં એક અનોખો ચોર પકડાયો છે. આ ચોરભાઈ માત્ર મંદિરોની દાનપેટીમાંથી ચોરી કરતા હતા. નવાઈની વાત એ હતી કે તે મંદિરના દરવાજા તોડીને મૂર્તિને પહેરાવેલાં લાખો રૂપિયાનાં ઘરેણાંને હાથ પણ નહોતો લગાડતો. એટલું જ નહીં, દાનપેટીમાં પણ જો દાગીના હોય તો એ પણ રાખી મૂકતો. માત્ર જે પૈસા ચડાવવામાં આવ્યા હોય એ જ ઉઠાવી જતો હતો. જ્યારે આ ચોરભાઈ પોલીસના હાથે ચડ્યા અને કારણ પૂછ્યું તો તેણે જે કહ્યું એ ચોંકાવનારું હતું. તેનું કહેવું હતું કે હું ભગવાનને કારણે બીમાર પડ્યો છું તો એ માંદગી માટેનો ખર્ચ પણ ભગવાન જ ઉઠાવશે.


આ વાતને વધુ સમજાવતાં સ્થાનિક પોલીસે કહ્યું હતું કે ‘૨૦૧૧માં પણ આ આરોપી મારપીટના મામલે જેલમાં ગયો હતો. જોકે ત્યાં તે કૉમન શેવિંગ બ્લેડથી દાઢી કરી રહ્યો હતો અને એમાં વારંવાર ગળા પર કટ વાગી જતાં ઇન્ફેક્ટેડ બ્લેડને કારણે તેને એઇડ્સ માટે જવાબદાર હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસ HIVનો ચેપ લાગી ગયો હતો. જેલમાંથી છૂટીને તે બહાર આવ્યો અને બીમાર રહેવા લાગ્યો ત્યારે તપાસ કરતાં આ ચેપ વિશે ખબર પડી હતી. HIVની સારવાર ખૂબ ખર્ચાળ હતી અને એનાથી તે ખૂબ પરેશાન હતો. બસ, એ પછી તેણે નક્કી કર્યું કે મારા આ રોગનું કારણ પણ ભગવાન જ છે તો એનો ખર્ચ પણ ભગવાન જ આપશે. તેનો દાવો છે કે અત્યાર સુધીમાં તે ૩૦ મંદિરોમાં ચોરી કરી ચૂક્યો છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2025 09:04 AM IST | Durg | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK