Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગૌશાળાઓમાં ગાયોને ઠંડી ન લાગે એ માટે પીળી શાલ ઓઢાડવામાં આવી

ગૌશાળાઓમાં ગાયોને ઠંડી ન લાગે એ માટે પીળી શાલ ઓઢાડવામાં આવી

Published : 22 December, 2025 12:48 PM | IST | Kanpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાતના સમયે ગાયોના રહેઠાણની ચોમેર ચોક્કસ અંતરે તાપણાં સળગાવવામાં આવે છે જેથી વાતાવરણમાં ગરમાટો ફેલાયેલો રહે. 

ગાયોને ઠંડીમાં ઠૂંઠવાતી બચાવવા માટે પીળા રંગની શાલ ઓઢાડવામાં આવી છે

અજબગજબ

ગાયોને ઠંડીમાં ઠૂંઠવાતી બચાવવા માટે પીળા રંગની શાલ ઓઢાડવામાં આવી છે


ઉત્તર પ્રદેશમાં ઠંડીનો પારો નીચો જ ઊતરતો જાય છે એવામાં કાનપુરની કેટલીક ગૌશાળાઓમાં ગાયોને ઠંડીમાં ઠૂંઠવાતી બચાવવા માટે પીળા રંગની શાલ ઓઢાડવામાં આવી છે. કાનપુરની નગરપાલિકા સંચાલિત ગૌશાળાઓમાં નિરાશ્રિત ગાયોને રાખવામાં આવે છે. શહેરમાં ઠંડી વધી રહી છે ત્યારે ગૌશાળાઓ ખુલ્લી હોવાથી મૂક પ્રાણીઓને ઠંડી ન લાગે એ માટે ગાયોને પીળા રંગના કાઉકોટ જેવી શાલ પહેરાવવામાં આવી છે. વછેરાઓને અલગ વાડામાં રાખવામાં આવ્યા છે અને ત્યાં વચ્ચે-વચ્ચે પડદા રાખવામાં આવ્યા છે જેનાથી ઠંડો અને સીધો પવન ગાયોને ન લાગે. નગરપાલિકાએ આ વર્ષે પહેલેથી જ ગાયોને બચાવવા માટેનાં પગલાંનું પ્લાનિંગ કર્યું હતું અને છેલ્લા ચાર દિવસથી ગાયોને કોટનો ગરમાટો મળે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. રાતના સમયે ગાયોના રહેઠાણની ચોમેર ચોક્કસ અંતરે તાપણાં સળગાવવામાં આવે છે જેથી વાતાવરણમાં ગરમાટો ફેલાયેલો રહે. 


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2025 12:48 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK