Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બીમાર પશુઓ માટેના આશ્રમનું લોકાર્પણ કર્યું વાંદરાના હસ્તે

બીમાર પશુઓ માટેના આશ્રમનું લોકાર્પણ કર્યું વાંદરાના હસ્તે

Published : 18 September, 2025 01:57 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશના ભીંડમાં ઘાયલ પશુ-પક્ષીઓની સેવા માટે ૧૦ લાખ રૂપિયાના ખર્ચે એક આશ્રમમાં ખાસ હૉલ બનાવવામાં આવ્યો છે.

આ ઘટના આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અજબગજબ

આ ઘટના આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.


મધ્ય પ્રદેશના ભીંડમાં ઘાયલ પશુ-પક્ષીઓની સેવા માટે ૧૦ લાખ રૂપિયાના ખર્ચે એક આશ્રમમાં ખાસ હૉલ બનાવવામાં આવ્યો છે. આ હૉલનું લોકાર્પણ કોઈ પ્રધાન કે નેતાએ નહીં પણ રોમા નામની વાંદરીએ કર્યું હતું. આ આશ્રમમાં લાંબા સમયથી ઘાયલ અને બેસહારા પશુઓની દેખભાળ રાખવામાં આવે છે. એમાં એક નવા હૉલનું નિર્માણ થયું હતું. આશ્રમના પરિવારનું કહેવું છે કે જ્યારે જાનવરોની સેવા માટે આ જગ્યા બનાવવામાં આવી છે તો એનું લોકાર્પણ પણ જાનવરના હસ્તે જ કરવામાં આવે. એ જ વિચારથી તેમણે રોમા નામની વાંદરીને એ સન્માન આપ્યું હતું. રોમાએ રિબન કાપીને ઉદઘાટન કરતાં લોકો ખુશ થઈ ગયા હતા. આ ઘટના આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2025 01:57 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK