Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દાંતથી કાર ખેંચીને હરિદ્વારથી અલીગઢ કાવડયાત્રા લઈ જશે આ શિવભક્ત

દાંતથી કાર ખેંચીને હરિદ્વારથી અલીગઢ કાવડયાત્રા લઈ જશે આ શિવભક્ત

Published : 29 July, 2026 06:47 PM | IST | Aligarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અલીગઢના નરેન્દ્ર હરિદ્વારથી 11 લીટર ગંગાજળ ભરેલી કાવડ અને ભગવાન શિવની પ્રતિમા સાથે કારને દાંતથી ખેંચીને લગભગ 100 કિમીની કાવડયાત્રા કરી રહ્યા છે.

દાંતથી કાર ખેંચીને હરિદ્વારથી અલીગઢ કાવડયાત્રા લઈ જશે આ શિવભક્ત

દાંતથી કાર ખેંચીને હરિદ્વારથી અલીગઢ કાવડયાત્રા લઈ જશે આ શિવભક્ત


ઉત્તર પ્રદેશના અલીગઢના છજ્જુપુર ગામના નરેન્દ્ર નામના ભાઈએ અનોખી કાવડયાત્રા શરૂ કરી છે. તેમણે હરિદ્વારની હર કી પૌડીથી ૧૧ લીટર ગંગાજળ ભરેલી કાવડ અને ભગવાન શિવની પ્રતિમાને પોતાની કાર પર બિરાજમાન કરી છે અને આ કારને તેઓ પોતાના દાંતથી ખેંચીને પોતાના ગામ અલીગઢ જઈ રહ્યા છે. ૧૦ જુલાઈએ તેમણે આ યાત્રા હરિદ્વારથી શરૂ કરી હતી. નરેન્દ્રનું કહેવું છે કે આ યાત્રા તેમની શિવજી પ્રત્યેની આસ્થા અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાનો સંદેશ છે. તેમની સાથે ગામના પાંચ શિવભક્તો અને એક ૧૦ વર્ષનું બાળક પણ યાત્રામાં જોડાયેલું છે. તેમની કારની આગળ ગરમીમાં રાહત મળે એ માટે પંખો પણ લગાવેલો છે એટલે કાર ખેંચતી વખતે પંખાની હવાથી ગરમીમાં રાહત મળે. હરિદ્વારથી તેમના ગામનું અંતર લગભગ ૧૦૦ કિલોમીટર જેટલું છે. આટલું અંતર કાપતાં આ શિવભક્તોની ટોળીને ૧ મહિનો લાગશે. ૧૧ ઑગસ્ટે આ યાત્રા પૂર્ણ થશે. ગામ પહોંચીને તેઓ છજ્જુપુરના પ્રાચીન મહાદેવ મંદિરમાં ગંગાજળથી અભિષેક કરશે. 


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2026 06:47 PM IST | Aligarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK