Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મૈયા... બાહર નિકલ, સબ્ઝી ખતમ નહીં હુઈ?

મૈયા... બાહર નિકલ, સબ્ઝી ખતમ નહીં હુઈ?

Published : 01 September, 2025 08:55 AM | Modified : 01 September, 2025 09:37 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લંકાપતિ રાવણ શાકભાજી વેચવા આવે અને કહે કે...

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક શાકભાજીવાળો ફેરિયો માઇક અને સ્પીકર લઈને ગામમાં શાક વેચવા આવ્યો છે. આ ભાઈ રામલીલાના કલાકાર છે અને રાવણનું પાત્ર ભજવે છે. શાક વેચતી વખતે પણ તેના શરીરમાં જાણે રાવણનો આત્મા પ્રવેશી ગયો હોય એમ તે અટ્ટહાસ્ય કરતો જાય છે અને ગામની બહેનોને શાક લેવા આવવા માટે નિમંત્રણ આપે છે. અલબત્ત, હા...હા...હા... ગુંજતા હાસ્ય સાથે જ્યારે તે રાવણની સ્ટાઇલમાં બહેનોને બોલાવે છે એ જબરું મનોરંજક છે. તે અટ્ટહાસ્ય કરતાં બોલે છે, ‘મૈયા... બાહર નિકલ. સબ્ઝી ખતમ નહીં હુઈ ક્યા? સબ્ઝી લે જા...’


આ વિડિયો ખૂબ વાઇરલ થયો છે. જોકે ઘણાએ રીઍક્શન આપ્યું છે કે જે વિડિયોમાં મનોરંજક લાગે છે એવા ગુંજતા અવાજમાં ખરેખર શાકવાળો આવે તો લોકો બહાર નીકળવાને બદલે ડરમાં ઘૂસી જાય.


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2025 09:37 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK