Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > CAA હેઠળ પાક, બાંગ્લાદેશ કે અફઘાનથી આવેલા લઘુમતીઓ પાસપોર્ટ વિના ભારતમાં રહી શકશે

CAA હેઠળ પાક, બાંગ્લાદેશ કે અફઘાનથી આવેલા લઘુમતીઓ પાસપોર્ટ વિના ભારતમાં રહી શકશે

Published : 03 September, 2025 05:23 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારત સરકારનો આ આદેશ એ સ્પષ્ટ કરે છે કે જો પાડોશી દેશ નેપાળ અને ભૂતાનના લઘુમતી સમાજના નાગરિકો જો આ દેશોની સરહદથી ભારતમાં પ્રવેશ કરે છે, તો મુસાફરી કરવા અથવા અહીં રહેવા માટે તેમને કોઈપણ પાસપોર્ટ અને વિઝાની જરૂર પડશે નહીં.

ગૃહ પ્રધાન અમિત શાહ (ફાઇલ તસવીર)

ગૃહ પ્રધાન અમિત શાહ (ફાઇલ તસવીર)


કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા નાગરિકતા (સુધારો) અધિનિયમ, ૨૦૧૯ (CAA) કાયદો જાહેર કરવામાં આવ્યો હતો. જેના હેઠળ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં રહેતા લઘુમતી સમુદાયો જેમ કે હિન્દુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓને ભારતની નાગરિકતા આપવામાં આવે છે. જોકે હવે તેમાં એક મોટી અપડેટ સરકારે આપી છે. ભારત સરકાર દ્વારા આ દેશોના લઘુમતી સમુદાયોના લોકો જે ધાર્મિક ઉત્પીડનથી બચવા માટે 31 ડિસેમ્બર, 2024 સુધી ભારત આવ્યા હતા, તેમને પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો વિના દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.


ગયા વર્ષે અમલમાં મુકાયેલા નાગરિકતા (સુધારા) કાયદા (CAA) ના નવા અપડેટ અનુસાર, 31 ડિસેમ્બર, 2024 ના રોજ અથવા તે પહેલાં ભારત આવેલા આ સમુદાયના લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવશે. તાજેતરમાં અમલમાં આવેલા ઇમિગ્રેશન અને વિદેશી અધિનિયમ, 2025 હેઠળ જાહેર કરાયેલ આ મહત્ત્વપૂર્ણ આદેશ બાદ મોટી સંખ્યામાં ભારત આવેલા લોકો, ખાસ કરીને પાકિસ્તાનથી આવેલા હિન્દુઓને મોટી રાહત મળશે, જેઓ 2014 પછી ભારત આવ્યા હતા.



ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, "અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયના લોકો જેમાં હિન્દુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓ જેઓ તેમની સામે બીજા દેશોમાં થઈ રહેલા ધાર્મિક અત્યાચારના ડરને કારણે ભારતમાં આશ્રય લેવા માટે આવ્યા હતા અને 31 ડિસેમ્બર, 2024 ના રોજ અથવા તે પહેલાં પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો તેમ જ માન્ય દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા, અથવા પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો અને બીજા માન્ય દસ્તાવેજો સાથે પણ આવ્યા હતા અને આવા દસ્તાવેજોની માન્યતા સમાપ્ત થઈ ગઈ હોય તેમ છતાં તેઓ અહીં જ છે તો તેમને માન્ય પાસપોર્ટ અને વિઝા રાખવાના નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે."



ભારત સરકારનો આ આદેશ એ સ્પષ્ટ કરે છે કે જો પાડોશી દેશ નેપાળ અને ભૂતાનના લઘુમતી સમાજના નાગરિકો જો આ દેશોની સરહદથી ભારતમાં પ્રવેશ કરે છે, તો મુસાફરી કરવા અથવા અહીં રહેવા માટે તેમને કોઈપણ પાસપોર્ટ અને વિઝાની જરૂર પડશે નહીં. આ વ્યવસ્થા શરણાર્થીઓ માટે પહેલાની જેમ જ ચાલુ રહેશે. જોકે, જો કોઈ નેપાળ અથવા ભૂતાનનો નાગરિક ચીન, મકાઉ, હૉંગકૉંગ અથવા પાકિસ્તાનથી ભારતમાં આવે છે, તો તેની પાસે માન્ય પાસપોર્ટ હોવો ફરજિયાત રહેશે. ઉલ્લેખનીય છે કે ભારતીય નાગરિકોને નેપાળ અથવા ભૂતાનની સરહદથી ભારતમાં આવવા અને ત્યાં જવા માટે પાસપોર્ટ અથવા વિઝાની જરૂર પડતી નથી, પરંતુ જો તેઓ નેપાળ અથવા ભૂતાન સિવાય અન્ય કોઈપણ દેશમાંથી ભારત આવે છે, તો તેમની પાસે માન્ય પાસપોર્ટ અને બીજા દસ્તાવેજો હોવા જરૂરી છે.

Whatsapp-channel Whatsapp-channel

03 September, 2025 05:23 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK