Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રવિચન્દ્રન અશ્વિને બે ભારતીય T20 ટીમના વિચારને વખોડી કાઢીને કહ્યું...

રવિચન્દ્રન અશ્વિને બે ભારતીય T20 ટીમના વિચારને વખોડી કાઢીને કહ્યું...

Published : 22 April, 2026 02:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિનિયર સ્તરે નૅશનલ ટીમની કૅપ મફતમાં ન વહેંચવી જોઈએ

રવિચન્દ્રન અશ્વિન

રવિચન્દ્રન અશ્વિન


ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રવિચન્દ્રન અશ્વિને ટીમ ઇન્ડિયા માટે બે અલગ-અલગ T20 ટીમો બનાવવાના વિચારને ફગાવી દીધો છે. ભારતીય ક્રિકેટમાં ચર્ચા ચાલી રહી છે કે IPLને કારણે ભારત માટે ૩૦-૩૫ ટૉપ ભારતીય T20 ખેલાડીઓના વિકલ્પો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ બે T20 ટીમો બનાવીને એક સમયે બે અલગ દેશો સામે સિરીઝ રમવાનો વિચાર કરી રહ્યું છે. આ અહેવાલો પર રવિચન્દ્રન અશ્વિન કહે છે, ‘આ વાત સાચી હશે તો ભારતીય કૅપનું મૂલ્ય શું હશે? એ કૅપ પ્રત્યે સન્માન નહીં બચશે. ભારતીય કૅપ પહેરવી એ ખૂબ જ ગર્વની ક્ષણ હોવી જોઈએ. ભારતીય ટીમની કૅપ મૂલ્યવાન હોવી જોઈએ. તમારે આડેધડ ભારતની કૅપ્સ મફતમાં ન વહેંચવી જોઈએ.’ જો તમે યંગ પ્લેયર્સને અનુભવ આપવા ઇચ્છતા હો તો ઇન્ડિયા-A ટીમની ટૂર પર મોકલો. એ મૅચોનું પ્રસારણ કરો જેથી ભારતના લાખો લોકો આ યંગ પ્લેયર્સને રમતા જોઈ શકે. - રવિચન્દ્રન અશ્વિન


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2026 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK