વર્તમાન IPL સીઝનમાં સૌથી વધુ કૅચ છોડ્યા છે, શુક્રવારે મુંબઈ સામે ત્રણ છોડ્યા
ક્રિકેટર
ગુજરાત ટાઇટન્સની ટીમ સીઝનની શરૂઆતથી જ બૅટિંગ અને બોલિંગ વિભાગના શાનદાર પ્રદર્શનને કારણે ચૅમ્પિયન બનવા માટે મોસ્ટ ફેવરિટ ટીમ હતી. એલિમિનેટર મૅચ સુધી આ ટીમનો ઓપનર સાઈ સુદર્શન (૭૫૯ રન) ઑરેન્જ કૅપ અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના (પચીસ વિકેટ) પર્પલ કૅપહોલ્ડર છે.
જોકે ટીમનો ફીલ્ડિંગ વિભાગ નબળો રહેતાં ગુજરાતે સીઝનના અંતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીઝનમાં હાઇએસ્ટ ૩૪ જેટલા કૅચ છોડનાર ગુજરાત ગ્રુપ-સ્ટેજની છેલ્લી બે મૅચ ચેન્નઈ અને લખનઉ જેવી ટીમો સામે હારી ગઈ હતી. એલિમિનેટર મૅચમાં હાર્યા બાદ કૅપ્ટન શુભમન ગિલે ઉલ્લેખ કર્યો કે પાવરપ્લેમાં ત્રણ કૅચ છોડ્યા પછી જીતવું સરળ નથી.
ADVERTISEMENT
ગુજરાતના પ્લેયર્સની ખરાબ ફીલ્ડિંગના કારણે રોહિત શર્માને બે વાર અને સૂર્યકુમાર યાદવને એક જીવતદાન મળ્યું હતું. ઇંગ્લૅન્ડના જોસ બટલરના રિપ્લેસમેન્ટ તરીકે આવેલા શ્રીલંકન વિકેટકીપર કુસલ મેન્ડિસે બે મહત્ત્વપૂર્ણ કૅચ છોડ્યા હતા.

