Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્જર્ડ આકાશ દીપ મૅચ નહીં રમશે, રિષભ પંત વિકેટકીપિંગ માટે ફિટ

ઇન્જર્ડ આકાશ દીપ મૅચ નહીં રમશે, રિષભ પંત વિકેટકીપિંગ માટે ફિટ

Published : 23 July, 2025 09:07 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચોથી ટેસ્ટ પહેલાં કૅપ્ટન ગિલે આપી મહત્ત્વપૂર્ણ અપડેટ...

શુભમન ગિલ

શુભમન ગિલ


મૅન્ચેસ્ટર ટેસ્ટ પહેલાં ભારતીય ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલે ટીમ કૉમ્બિનેશન વિશે મોટી અપડેટ આપી છે. તે કહે છે, ‘લૉર્ડ્સ ટેસ્ટમાં હાથની ઇન્જરીનો સામનો કરનાર રિષભ પંત ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરશે. જ્યારે ઇન્જરી થાય છે ત્યારે એ ક્યારેય સરળ હોતી નથી. ફાસ્ટ બોલર આકાશ દીપ પણ ઇન્જરીને કારણે આ મૅચ માટે ઉપલબ્ધ નથી, પરંતુ અમારી પાસે ૨૦ વિકેટ લેવા માટે પૂરતા અને સારા પ્લેયર્સ છે.’


અનુભવી બૅટર કરુણ નાયર અને ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજ વિશે અપડેટ આપતાં શુભમન કહે છે, ‘અમે અંશુલની કુશળતા જોઈ છે. અમને વિશ્વાસ છે કે તે અમારા માટે મૅચ જીતી શકે છે. કમ્બોજ પોતાનું ડેબ્યુ કરવાની નજીક છે. જોકે મૅચ પહેલાં અમે અંશુલ કમ્બોજ કે પ્રસિદ્ધ ક્રિષ્ના આ બન્ને વિકલ્પ પર વિચાર કરીશું. કરુણ સારી બૅટિંગ કરી રહ્યો છે. તેની બૅટિંગમાં કોઈ સમસ્યા નથી. એક વાર તમે ફિફ્ટી બનાવી લો ત્યારે લયમાં આવી જાઓ છો. અમને આશા છે કે તે વાપસી કરી શકશે.’  


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2025 09:07 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK