પ્રતીકા રાવલ, સ્નેહ રાણા અને રેણુકા સિંહ ઠાકુરને આઉટ-ઑફ-ટર્ન પ્રમોશન દ્વારા બઢતી આપવામાં આવી છે
ખેલાડીઓ રેલવેપ્રધાનને મળ્યા હતા તે સમયની ફાઇલ તસવીર
ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની ૩ સ્ટાર ક્રિકેટરને વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય રેલવેએ પ્રમોટ કરી છે. પ્રતીકા રાવલ, સ્નેહ રાણા અને રેણુકા સિંહ ઠાકુરને આઉટ-ઑફ-ટર્ન પ્રમોશન દ્વારા ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી (સ્પોર્ટ્સ) તરીકે બઢતી આપવામાં આવી છે. આ ત્રણેયે વેસ્ટર્ન રેલવેમાં ક્લર્ક જેવાં વિવિધ પદ પર કામ કર્યું હતું. કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે નવેમ્બરમાં ત્રણેય સાથે શુભેચ્છા-મુલાકાત કરી હતી.


