Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભૂતપૂર્વ ક્રિકેટર અંબાતી રાયુડુ પર કેમ ભડક્યા સોશ્યલ મીડિયા યુઝર્સ?

ભૂતપૂર્વ ક્રિકેટર અંબાતી રાયુડુ પર કેમ ભડક્યા સોશ્યલ મીડિયા યુઝર્સ?

Published : 10 May, 2025 10:37 AM | Modified : 11 May, 2025 06:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડિયન આર્મીને ટેકો આપવાના સમયે સિદ્ધાંતો વિશે વાત કરતા રાયુડુને સોશ્યલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો

અંબાતી રાયુડુ

અંબાતી રાયુડુ


ભારત અને પાકિસ્તાનના સંઘર્ષ વચ્ચે ગુરુવારે રાતે ૧૦.૨૩ વાગ્યે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયુડુએ માહાત્મા ગાંધીના વાક્ય ‘An eye for an eye makes the world blind’ને ટ્વીટ કર્યું હતું, જેનો અર્થ થાય છે કે આંખના બદલામાં આંખ (જીવને બદલે જીવ લેવાથી) એ દુનિયાને આંધળી બનાવે છે.


ઇન્ડિયન આર્મીને ટેકો આપવાના સમયે સિદ્ધાંતો વિશે વાત કરતા રાયુડુને સોશ્યલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. લોકોનો આક્રોશ જોઈને તેણે કેટલીક સ્પષ્ટતા કરતાં ૨૪ કલાકમાં ચાર અન્ય ટ્વીટ કરવાં પડ્યાં હતાં. એક ટ્વીટમાં તેણે લખ્યું કે ‘ન્યાય થવો જોઈએ, પરંતુ માનવતાને ભૂલવી ન જોઈએ. જો તમે તમારા દેશને પ્રેમ કરો છો, તો પણ તમારા હૃદયમાં કરુણા હોવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK