દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નામિબિયા સામેની બીજી મૅચ પહેલા, તિલક વર્માએ એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. T-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન સામેની મૅચ આગળ હોવાથી, પત્રકારોએ એક જ દોર પકડ્યો. તિલક વર્માને આ મૅચ વિશે સીધો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
તિલક વર્મા (ફાઇલ તસવીર)
T-20 વર્લ્ડ કપમાં હાઇ-વોલ્ટેજ મૅચ 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે થવાની છે. આ મૅચ તટસ્થ સ્થળે એટલે કે શ્રીલંકાના કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ મૅચ ઘણા વિવાદો પછી રમાઈ રહી છે, જેથી તેનું મહત્ત્વ વધી ગયું છે. ભારત નામિબિયા સામેની મૅચ જીત્યા બાદ આ મૅચમાં સર્વોપરિતા માટેનો જંગ થશે. કારણ કે બન્ને ટીમોના 4-4 પોઈન્ટ હશે અને જો વિજેતા ટીમને 2 પોઈન્ટ મળશે તો 6 પોઈન્ટ થશે. તેથી, આ મૅચ રોમાંચક હશે તેમાં કોઈ શંકા નથી. તેથી, ભારત અને પાકિસ્તાન બન્ને પર દબાણ રહેશે. આવી સ્થિતિમાં, ભારતીય ટીમે આ મૅચ માટે ખાસ તૈયારીઓ કરી છે. સ્ટાર બૅટર તિલક વર્માએ આ વાતનો ખુલાસો કર્યો છે.
તિલક વર્માએ જણાવી પાકિસ્તાન સામેની રણનીતિ
ADVERTISEMENT
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નામિબિયા સામેની બીજી મૅચ પહેલા, તિલક વર્માએ એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. T-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન સામેની મૅચ આગળ હોવાથી, પત્રકારોએ એક જ દોર પકડ્યો. તિલક વર્માને આ મૅચ વિશે સીધો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પાકિસ્તાને આ મૅચ રમવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ઘણો સમય પસાર થઈ ગયો. મૅચ થશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નહોતી. તું અને ટીમ ઇન્ડિયા શું વિચારી રહ્યા છે? શું તું પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને તૈયારી કરી રહ્યો છે? આ પ્રશ્નના જવાબમાં તિલક વર્માએ કહ્યું કે ટીમ પાકિસ્તાન સામે રમવા માટે તૈયાર છીએ. ટીમને બે દિવસ પહેલા ખબર હતી કે અમે રમવા માગીએ છીએ. પરંતુ ટીમ શરૂઆતથી જ તૈયાર છે. ટીમ હજી પણ તૈયારી કરી રહી છે.
તિલક વર્માએ વધુમાં સ્પષ્ટતા કરી કે “અમારું લક્ષ્ય ફક્ત પાકિસ્તાન નહીં પરંતુ તેમની આખી ટીમનું પ્રદર્શન છે. કોણ કેવું રમી રહ્યું છે? અમે તેમના પર નજર રાખી રહ્યા છીએ. ભારતીય ટીમના બૅટર પાકિસ્તાન અને અન્ય ટીમોના બૉલરો પર નજર રાખી રહ્યા છે. બીજી તરફ, અમારા બૉલરો પ્રૅક્ટિસ કરી રહ્યા છે કે અન્ય બૅટર શું કરી રહ્યા છે. તેથી તૈયારી ચાલી રહી છે. અમે પાકિસ્તાન સામે રમવા માટે તૈયાર છીએ.” તિલક વર્માનું પાકિસ્તાન સામે સારું પ્રદર્શન છે. તેણે ત્રણ T-20 આંતરરાષ્ટ્રીય મૅચમાં 130 રન બનાવ્યા છે. આમાં તેનો બેસ્ટ સ્કોર અણનમ 69 રન છે. તેણે ત્રણ વિકેટ પણ લીધી છે. હવે ક્રિકેટ ચાહકો તેની પાસેથી પણ આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે.
ભારતમાં T20 વર્લ્ડ કપ ન રમવાનો નિર્ણય સરકારે નહીં, ખેલાડીઓ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે લીધો
બાંગ્લાદેશના સ્પોર્ટ્સ સલાહકાર આસિફ નઝરુલ તરફથી ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ભારતમાં બંગલાદેશી ટીમને સુરક્ષાની ચિંતા હોવાથી વર્લ્ડ કપમાં રમવાનો નિર્ણય સરકાર લેશે એવી વાત કરનાર આસિફ નઝરુલે મોટો યુ-ટર્ન લીધો છે.


