Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિર ખાને મુંબઈની હવાની ગુણવત્તા વિશે ચિંતા વ્યક્ત કરી

આમિર ખાને મુંબઈની હવાની ગુણવત્તા વિશે ચિંતા વ્યક્ત કરી

Published : 20 January, 2026 11:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમિર ખાને રવિવારે મુંબઈ મૅરથૉનમાં ભાગ લીધો હતો

મુંબઈ મૅરથૉનમાં આમિર ખાન

મુંબઈ મૅરથૉનમાં આમિર ખાન


આમિર ખાને રવિવારે મુંબઈ મૅરથૉનમાં ભાગ લીધો હતો. તેની સાથે તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ અને બાળકો જુનૈદ ખાન, આઇરા ખાન તથા આઝાદ રાવ ખાન પણ હાજર હતાં. એ દરમ્યાન આમિરે મુંબઈમાં વધતા પ્રદૂષણના સ્તર વિશે વાત કરી હતી. કિરણ રાવે પણ જણાવ્યું હતું કે આ મુદ્દે સૌએ મળીને અવાજ ઉઠાવવો જરૂરી છે.

મૅરથૉનમાં આમિરે મીડિયા સાથેની વાતચીત દરમ્યાન મુંબઈની બગડતી હવાની ગુણવત્તા પર ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે આમિરને વાયુપ્રદૂષણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ‘હા, હવે શું કરીએ? મને ખબર છે.’



આમિર ઉપરાંત કિરણ રાવે આ મામલે કહ્યું હતું કે ‘આપણે સૌએ એકસાથે અવાજ ઉઠાવવાની જરૂર છે. આ માટેના પ્રયાસમાં ભાગ લેવો જોઈએ અને એનાં કારણોને પણ સમજવાં જોઈશે. નાગરિક તરીકે સૌએ પોતાનું યોગદાન આપવું જોઈએ જેથી શહેરમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)માં સુધારો આવી શકે.’ 
આમિરે પણ આ વાત સાથે સંમતિ વ્યક્ત કરીને લોકોને સકારાત્મક રીતે યોગદાન આપવાની અપીલ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2026 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK