Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનાલી બેન્દ્રેએ કૅન્સર સામે લડવા માટે નૅચરોપથીને સપોર્ટ કર્યો એટલે પડી પસ્તાળ

સોનાલી બેન્દ્રેએ કૅન્સર સામે લડવા માટે નૅચરોપથીને સપોર્ટ કર્યો એટલે પડી પસ્તાળ

Published : 26 November, 2025 11:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે પછી ઍક્ટ્રેસે પોસ્ટ કરીને પોતાનો અભિગમ સ્પષ્ટ કર્યો

સોનાલી બેન્દ્રે

સોનાલી બેન્દ્રે


સોનાલી બેન્દ્રે કૅન્સર-સર્વાઇવર છે. તે ૨૦૧૮માં આ ખતરનાક બીમારી સામે જંગ લડી હતી. સોનાલીએ હાલમાં પોતાની એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો હતો કે કૅન્સર સામે લડવામાં નૅચરોપથી મારા માટે ઘણી ઉપયોગી સાબિત થઈ હતી. જોકે આ પોસ્ટ પછી મેડિકલ પ્રોફેશનલ્સે સોનાક્ષીની આકરી ટીકા કરી છે. એક ડૉક્ટરે સોનાલીની પોસ્ટ પર સવાલ કરતાં લખ્યું હતું, ‘તમારું કૅન્સર કીમોથેરપી, રેડિયેશન અને સર્જરીથી ઠીક થયું છે, નૅચરોપથીથી નહીં.’
આ વિવાદ પછી સોનાક્ષીએ એક પોસ્ટ કરીને પોતાનો અભિગમ સ્પષ્ટ કર્યો છે કે ‘૨૦૧૮માં જ્યારે મને કૅન્સર થયું ત્યારે મારા નૅચરોપૅથે મને ‘ઑટોફેજી’ નામની એક સ્ટડી વિશે જણાવ્યું હતું. આ સ્ટડીએ મારી રિકવરીમાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી એટલે મેં એ વાંચ્યું, શીખી, પ્રયોગ કર્યા અને ધીમે-ધીમે રોજિંદા જીવનમાં સામેલ કર્યું. ત્યારથી હું એને અનુસરી રહી છું.’
આ પછી સોનાલીએ આગળ લખ્યું છે, ‘દરેક બાબતે સૌએ સહમત હોવું જરૂરી નથી, પરંતુ માત્ર એટલા માટે એનો ઇનકાર ન કરવો જોઈએ. મેં ક્યારેય ડૉક્ટર હોવાનો દાવો કર્યો નથી, પણ હું કોઈ ઊંટવૈદ પણ નથી. હું એક કૅન્સર-સર્વાઇવર છું જેણે આ બીમારીનો ડર, દુઃખ, અનિશ્ચિતતા અને ફરી ઊભી થવાનો સમગ્ર પ્રવાસ અનુભવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે ચર્ચા ખુલ્લી અને સન્માનપૂર્ણ હોવી જોઈએ. દરેકને પોતાને યોગ્ય, સલામત અને શક્તિશાળી લાગતો ઉપચાર પસંદ કરવાનો અધિકાર છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2025 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK