Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૈફ અલી ખાન બાદ કરીના કપૂર પર થયો હતો હુમલો, રોનીત રૉયે કર્યો મોટો ખુલાસો!

સૈફ અલી ખાન બાદ કરીના કપૂર પર થયો હતો હુમલો, રોનીત રૉયે કર્યો મોટો ખુલાસો!

Published : 12 July, 2025 04:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Kareena Kapoor was Attacked after Saif Ali Khan: આ વર્ષે જાન્યુઆરીમાં સૈફ અલી ખાન પર તેના જ ઘરમાં હુમલો થયો હતો. હવે અભિનેતા રોનિત રૉયે ખુલાસો કર્યો છે કે સૈફ પછી કરીના કપૂર ખાન પર પણ હુમલો થયો હતો, જેના પછી તે ખૂબ જ ડરી ગઈ હતી.

સૈફ અલી ખાન, રોનીત રૉય અને કરીના કપૂર ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

સૈફ અલી ખાન, રોનીત રૉય અને કરીના કપૂર ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)


આ વર્ષે જાન્યુઆરીમાં સૈફ અલી ખાન પર તેના જ ઘરમાં હુમલો થયો હતો. હવે અભિનેતા રોનિત રૉયે ખુલાસો કર્યો છે કે સૈફ પછી કરીના કપૂર ખાન પર પણ હુમલો થયો હતો, જેના પછી તે ખૂબ જ ડરી ગઈ હતી.


આ વર્ષે જાન્યુઆરીમાં જ્યારે સૈફ અલી ખાન પર તેના જ ઘરમાં હુમલો થયો હતો, ત્યારે સુરક્ષાનું કામ પ્રખ્યાત અભિનેતા રોનિત રૉયની સુરક્ષા એજન્સી સંભાળી રહી હતી. તાજેતરમાં જ તેણે એક મોટો ખુલાસો કર્યો છે. તેનું કહેવું છે કે સૈફ પછી કરીના કપૂર પર પણ હુમલો થયો હતો.



૧૬ જાન્યુઆરીની રાત્રે, સૈફ અલી ખાન પર તેના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ અભિનેતાને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હુમલા પછી, રોનિત રૉયની સુરક્ષા એજન્સીને સુરક્ષાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ પછી, જ્યારે કરીના હૉસ્પિટલથી ઘરે જવા નીકળી ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.


કરીના પર હુમલો થયો હતો
રોનિત રૉયે પિંકવિલા સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે કરીના આ હુમલાથી સંપૂર્ણપણે ડરી ગઈ હતી. અભિનેતાના જણાવ્યા મુજબ, "સૈફ હૉસ્પિટલમાંથી રજા મળ્યા પછી ઘરે પરત ફરી રહ્યો હતો. દરેક જગ્યાએ ભારે ભીડ અને મીડિયા હતું. જ્યારે કરીના પણ હૉસ્પિટલમાંથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે તેની કાર પર હુમલો થયો હતો. તેથી તે ડરી ગઈ."

પાંચ મહિના પહેલાં સૈફ અલી ખાન પર તેના ઘરમાં અટૅક થયો હતો. આ ઘટના એટલી દર્દનાક હતી કે તેનો પરિવાર હજી સુધી એના આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. હવે પહેલી વાર કરીના કપૂરે એ ભયાનક હુમલા વિશે પોતાની ચુપકીદી તોડી છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કરીનાએ જણાવ્યું હતું કે અમે હજી સુધી એ આઘાતમાંથી સંપૂર્ણપણે બહાર આવી શક્યા નથી. 

કરીનાએ સૈફ અલી ખાનને ‘આયર્ન મૅન’ ગણાવતાં પોતાની ચિંતા વ્યક્ત કરી. આ સાથે તેણે બાળકો અને સોશ્યલ મીડિયા ટ્રોલિંગ વિશે પણ ખૂલીને વાત કરી. કરીનાએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘મુંબઈ જેવી સુરક્ષિત ગણાતી જગ્યાએ આવી ઘટના બનવી અમારે માટે આશ્ચર્યજનક હતું. મુંબઈમાં આવી ઘટના વિશે અમે ક્યારેય સાંભળ્યું નથી. આવું અમેરિકા જેવી જગ્યાએ થાય છે. એ રાત પછી ઘણા મહિનાઓ સુધી હું ઊંઘી શકી નહોતી. મારા માટે રૂટીન લાઇફ જીવવાનું મુશ્કેલ બની ગયું હતું. સૈફ આયર્ન મૅન છે. તેણે હુમલા સમયે પરિસ્થિતિને સંભાળી, પરંતુ એ દર્દને હું આજે પણ અનુભવી રહી છું. મારાં બાળકોએ એ દૃશ્ય જોવું નહોતું જોઈતું. જોકે હવે તેઓ સત્યનો સામનો કરવાનું શીખી રહ્યાં છે. એક માતા તરીકે હું ઇચ્છું છું કે તેઓ મજબૂત બને. જેહ હજી પણ કહે છે કે મારા પપ્પા બૅટમૅન અને આયર્ન મૅન છે, પણ હું જાણું છું કે આ ઘટનાએ તેને અંદરથી બદલી નાખ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2025 04:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK