તેની સિક્યૉરિટીમાં કોઈ વધારો કરાયો નથી
કપિલ શર્મા
સ્ટૅન્ડઅપ કૉમેડિયન કપિલ શર્મા અને તેની પત્નીએ કૅનેડામાં ૪ જુલાઈએ રેસ્ટોરાં ખોલી છે. બુધવારે મધરાત બાદ ૧.૫૦ વાગ્યે કોઈએ એ રેસ્ટોરાં પર ફાયરિંગ કર્યું હતું. એ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. મુંબઈ પોલીસે આ ઘટના બાદ તેના ઓશિવરામાં આવેલા નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. પોલીસની એક ટીમ તેના ઓશિવરામાં આવેલા DHL ઍન્ક્લેવ બિલ્ડિંગમાં પહોચી ગઈ હતી અને તેનું ઍડ્રેસ કન્ફર્મ કર્યું હતું. એક પોલીસ ઑફિસરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે તેની સિક્યૉરિટીમાં કોઈ વધારો કરાયો નથી કે તેનું સ્ટેટમેન્ટ પણ નોંધવામાં આવ્યું નથી.

