Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું આવારાપન 2ના મેકર્સને જબરદસ્ત સફળતા બદલ અભિનંદન આપીશ

હું આવારાપન 2ના મેકર્સને જબરદસ્ત સફળતા બદલ અભિનંદન આપીશ

Published : 24 August, 2026 12:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મની સાથે જ રિલીઝ થયેલી નિષ્ફળ બટવારા 1947ના ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ બતાવી દરિયાદિલી

રાજકુમાર સંતોષી અને ઈમરાન હાશ્મી

રાજકુમાર સંતોષી અને ઈમરાન હાશ્મી


સની દેઓલની ‘બટવારા 1947’ અને ઇમરાન હાશ્મીની ‘આવારાપન 2’ એકસાથે થિયેટરોમાં રિલીઝ થઈ હતી, પણ દર્શકોએ ‘આવારાપન 2’ને વધુ પસંદ કરી. આ જ કારણસર ‘આવારાપન 2’એ બૉક્સ-ઑફિસ પર શાનદાર કમાણી કરી. હવે ‘બટવારા 1947’ના ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ પોતાની ફિલ્મની નિષ્ફળતાને સ્વીકારીને ખેલદિલીપૂર્વક ‘આવારાપન 2’ના મેકર્સને અભિનંદન આપ્યાં છે.
‘બટવારા 1947’ની નિષ્ફળતા અને ‘આવારાપન 2’ની સફળતા વિશે વાત કરતાં રાજકુમાર સંતોષીએ કહ્યું હતું કે ‘હું ‘આવારાપન 2’ના મેકર્સને અભિનંદન આપીશ. હું ફરી કહીશ કે ‘આવારાપન 2’ને લોકોએ ખૂબ પસંદ કરી છે, એની પ્રશંસા કરી છે અને આ શાનદાર બિઝનેસ છે. હું ઇમરાન હાશ્મી, મુકેશ ભટ્ટ, વિશેષ ભટ્ટ અને તેના દીકરા સાથે ‘આવારાપન 2’ની સમગ્ર ટીમને અભિનંદન આપું છું.’


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2026 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK