Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર કપૂર રામનું પાત્ર ભજવે તો રિયલ લાઇફમાં પણ ભગવાન જેવો બની જાય એ શક્ય નથી

રણબીર કપૂર રામનું પાત્ર ભજવે તો રિયલ લાઇફમાં પણ ભગવાન જેવો બની જાય એ શક્ય નથી

Published : 01 November, 2025 09:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આધ્યાત્મિક ગુરુ સદ્‌ગુરુએ રામાયણમાં તેની પસંદગી વિશે કહ્યું કે આજે તે શ્રી રામ બન્યો છે, ભવિષ્યમાં રાવણનો રોલ પણ કરી શકે છે

રણબીર કપૂર રામનું પાત્ર ભજવે તો રિયલ લાઇફમાં પણ ભગવાન જેવો બની જાય એ શક્ય નથી

રણબીર કપૂર રામનું પાત્ર ભજવે તો રિયલ લાઇફમાં પણ ભગવાન જેવો બની જાય એ શક્ય નથી


રણબીર કપૂર હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘રામાયણ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં રણબીર ભગવાન શ્રી રામનું પાત્ર ભજવી રહ્યો છે. રણબીરના ભૂતકાળમાં તેને બીફ પસંદ છે એ વાતના એકરાર અને ‘ઍનિમલ’ જેવી ફિલ્મમાં તેણે કરેલા રોલને કારણે સોશ્યલ મીડિયામાં કેટલાક લોકો ભગવાન રામનો રોલ ભજવવા માટે રણબીરની પસંદગી પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ રોલ માટે રણબીર યોગ્ય નહોતો. જોકે આ વિવાદ વચ્ચે આધ્યાત્મિક ગુરુ સદ્‌ગુરુએ રણબીરને સમર્થન આપ્યું છે. 

તાજેતરમાં સદ્‌ગુરુ અને ‘રામાયણ’ના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા વચ્ચે ચર્ચા થઈ હતી. ચર્ચા દરમ્યાન નમિત મલ્હોત્રાએ સદ્‌ગુરુને પૂછ્યું હતું કે લોકો જૂની વાતોનો રેફરન્સ કાઢીને પૂછે છે કે રણબીર કપૂર ‘રામાયણ’માં શ્રી રામની ભૂમિકા કેવી રીતે કરી શકે, તો આ કેટલું યોગ્ય છે? આ વાતનો જવાબ આપતાં સદ્‌ગુરુએ કહ્યું હતું કે ‘કોઈ અભિનેતાને તેના અગાઉના રોલ પરથી જજ કરવાનું યોગ્ય નથી. જો આજે તે રામનું પાત્ર ભજવી રહ્યો છે તો શું તમે આશા રાખો કે તે રિયલ લાઇફમાં પણ સંપૂર્ણ રીતે રામ બની જાય? એ શક્ય નથી. આ જ રણબીર ભવિષ્યમાં રાવણની ભૂમિકા પણ ભજવી શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2025 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK