Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સારા અલી ખાન ફરી બાબા કેદારનાથના શરણે

સારા અલી ખાન ફરી બાબા કેદારનાથના શરણે

Published : 24 October, 2025 12:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉલીવુડના લોકો જ્યારે દિવાળીની પાર્ટી કરવામાં મશગૂલ હતા એ સમયે સારા અલી ખાન ફરી કેદારનાથના શરણે પહોંચી ગઈ હતી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


બૉલીવુડના લોકો જ્યારે દિવાળીની પાર્ટી કરવામાં મશગૂલ હતા એ સમયે સારા અલી ખાન ફરી કેદારનાથના શરણે પહોંચી ગઈ હતી. ગઈ કાલે શિયાળા માટે કેદારનાથ ધામનાં કપાટ બંધ થયાં હતાં અને એ પહેલાં જ સારા ત્યાં પહોંચી ગઈ હતી. અવારનવાર બાબા કેદારનાથનાં દર્શન માટે જતી સારા માટે આ જગ્યા ખાસ છે, કારણ કે અહીં જ તેણે પોતાની સૌપ્રથમ ફિલ્મ ‘કેદારનાથ’નું શૂટિંગ કર્યું હતું. ૨૦૧૮માં આવેલી આ ફિલ્મમાં સારાનો હીરો સુશાંત સિંહ રાજપૂત હતો.



સારાએ બુધવારે સોશ્યલ મીડિયા પર કેદારનાથની લેટેસ્ટ યાત્રાની તસવીરો પોસ્ટ કરીને લખ્યું હતું : જગતમાં આ એક જ એવી જગ્યા છે જે સંપૂર્ણપણે પરિચિત હોવા છતાં દરેક વખતે મને આશ્ચર્યચકિત કરી મૂકે છે. મારા મનમાં માત્ર કૃતજ્ઞતા છે. મારી પાસે જે છે અને હું જે છું એના માટે ખૂબ ખૂબ આભાર.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2025 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK